Pages

Monday, November 30, 2009

અફીણીયુ ચીન.

વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું.આપણે એક બીજા ને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો એમ પૂછીએ છીએ.જયારે ચીન માં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા?એમ પૂછતાં હતા.ચોખા ખાવાના નસીબ પણ નહોતા.ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા.વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીન માં અફીણ નો જબરદસ્ત વેપાર શરુ કરેલો.આખું ચીન અફીણ ખાઈને મસ્ત રહેતું હતું,ચીન અફીણીયુ એમ કહેવાતું.લોકો આળસુ બની ચુક્યા હતા.કોઈ ઝેર વેચે,કોઈ લાડવા,શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે.બે ચાર વરસના બાળકને રાજા,સમ્રાટ બનાવેલો રાજવંશ નો હતો.એના સંડાશ ને સોના ની વાટકી માં લઈને સુંઘીને રાજા ના દરબારીઓ સ્વર્ગ નો આનંદ માનતા.એવું આ ચીન હતું આપણા થી પણ ગયેલું.બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો,રીવાજ હતો.પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ.જાપાન ની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વ યુદ્ધ માં હારી ગયું.રાજા ગયો દેશદ્રોહ ના આરોપ માં જેલમાં.માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન.ધર્મ એક અફીણ છે.આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે.રાજકારણ માં કોઈ પણ ધર્મો ની ડખલ ના જોઈએ.બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રો માં ધર્મ ની ડખલ ના હોવી જોઈએ.જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો.કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા,અને એજ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી.આપણે ફક્ત ગાંધીજીનેજ રાષ્ટ્ર પિતા માન્યા.બીજા જે લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં.અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા,જ્યોર્જ વોશીન્ગ્ટન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન.આ બધા એ નક્કી કરેલું કે આ દેશ નું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મ ની , ચર્ચ ની ડખલ ના જોઈએ.એક સમય નું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે?અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે.નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો,નાતો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો,ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો,ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો.લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે.આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય.પાછો દોષ બીજાને દેવાનો,કે ચીન નાલાયક છે,પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે,અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથીને પાકિસ્તાન ને પૈસા આપેછે.આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણા એફ બી આઈ એ પકડી લીધા.નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત.જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિક માં ઈઝરાઈલ ના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા.એ બધા પોતાના દેશ માં હીરો બની ગયેલા.મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા.એવી ખુમારી જોઈએ.આ ઈઝરાઈલ નો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો.

ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે છે.

આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ.આપણ ને આપણા દોષ દેખાતા નથી.બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે.યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે.પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે.ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને આપે એમાં ઓબામાં નો શું દોષ?જે વધારે કામ નો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે.તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે?એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે.તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે?ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે.સમર્થ કો નહિ દોષ ગુસાઇ.ચીન નબળું હોત તો તિબેટ ચીન નો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત.તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે.ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે.આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ.શરુ થી જ આ ચાલતું આવ્યું છે.મુસલમાનો આપણાં પર ચડી આવ્યા.તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા?અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો.ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક?તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો.સર્વઇવલ ના યુદ્ધ માં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરત નો નિયમ ભારત માટે જુદો થોડો હોય?કુદરત માટે બધા સરખા છે.આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદી માં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા.એતો અંગ્રેજો નો પથારો બહુ લાંબો થઇ ગયો હતો,લગભગ આખી દુનિયામાં,ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ.મક્કા મદીના થી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ,ઈરાન,તુર્કી નબળા હતા તે ગયા.બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી.લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે,એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા.એવું નથીજ વિયેના માં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા,એ કુદરત નો નિયમ છે.ચીન બળવાન ને મુઘલો ના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી,ને બચી ગયું..મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો?હજારો બ્રાહ્મણો શિવજી નું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી.શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જન નું પ્રતિક માત્ર છે.એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું?પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો.થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ ભાવનગર ના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા.હજુ આપણી મેંનટાલીટી એની એજ છે.હજુ આપણે કોઈ સાથ આપે એનીજ રાહ જોઈએ છીએ.અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું,ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ.પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો.પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે?એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે?પાકિસ્તાન,અમેરિકા કે ચીન?કમજોર ને કોણ ભાઈબાપલા કરે?ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન,પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે,નહીતો બચકાં ભરશે.

Saturday, November 21, 2009

મુસ્લિમોનો કટ્ટરતાવાદ

જેહાદીઓ,જેહાદ માંથી પાછા વળેલાઓ,અને બીજા એક્સપર્ટ લોકોના ઇન્ટરવ્યું ટીવી માં જોયા પછી લખવાનું મન થાય છે..૯-૧૧ એ અમેરિકા નો ઈમરજન્સી નંબર છે.ગમેત્યારે કોઈ પણ ફોન પરથી આખા અમેરિકા માં ૯-૧૧ દબાવો એટલે પોલીસ હાજર થઇ જાય.૯-૧૧ બટન દબાવી કશી પણ વાત કાર્ય વગર મૂકી દો તો પણ પોલીસ આધુનિક ટેકનોલોજી ના પ્રતાપે હાજર થઇ જાય.એટલે લોકોના મન માં એવી ગેરમાન્યતા છે કે બિન લાદેને ૯-૧૧ એટલે સપ્ટેમ્બર ૧૧ ના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા.પણ હકીકત માં એવું નથી.ઇસ્લામ ના ઉદય પછી આખી દુનિયાને મુસ્લિમ બનાવવા એમના ધાડા નીકળી પડ્યા.મિડલ ઇસ્ટ કવર કર્યા પછી,યુરોપ તરફ નીકળી પડ્યા.બીન મુસ્લિમ માટે ફક્ત બેજ રસ્તા છે,એક તો ધર્મ પરિવર્તન કરો યા મુસ્લિમ ના હાથે મોત ને પામો.ઇસ્લામ નો અર્થ શાંતિ છે,પણ ક્યારે ?જયારે આખી દુનિયા મુસ્લિમ થઇ જાય પછી.મુસ્લિમ કોઈ ને મારે,ધર્મ પરિવર્તન કરાવે અથવા સફળ ના થાય અને મરી જાય,ત્રણે વાતે એને સ્વર્ગ જ મળવાનું છે.જેહાદ શરુ થઇ ચુકી હતી આખી દુનિયા ને મુસ્લિમ માં પરિવર્તન કરવાની.યુરોપિયન લોકોએ જબરદસ્ત જવાબ આપવાનું શરુ કર્યું.કૃઝેડસ શરુ થયા.ધર્મયુધ્ધો શરુ કર્યા યુરોપિયન લોકોએ બધા એક થઈને.મુસ્લિમોની જેહાદ ની પહેલી હાર થઇ વિએનામાં સપ્ટેમ્બર ની ૧૧ તારીખે.૯-૧૧ ના દિવસે અટકેલી જેહાદ બીન લાદેને ફરી શરુ કરી ૯-૧૧ ના દિવસે અમેરિકા ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને.દુનિયા ના ખૂણે ખૂણે ઇસ્લામ ના ફેલાવાનો હક એમને મળેલો છે.આજની ધર્માન્ધતા કે કટ્ટરતા નો સવાલ જ નથી આતો એનો ઉદય થયો ત્યારની વાત છે.ફક્ત ચાન્સ ની રાહ જોવાય છે. જયારે ધર્મ ખુદ જ એવું કહેતો હોય કે મુસ્લિમ સિવાય ના બધા કાફિર છે,અનેકાફિર માટે ધર્મ પરિવર્તન અથવા મોત એમ બેજ રસ્તા છે,ત્યારે કટ્ટરતા વાદ દુર કરવાના ઉપાયો સોચવા કે સલાહ આપવી મૂર્ખતા જ છે.આ કટ્ટરતા વાદ નથી આતો ધર્મ જ છે.તમારે આમાંથી બચવું કે મરવું એ તમારે સોચવાનું છે.તમે નબળા પડો એની ફક્ત રાહ જ જોવાય છે. કેટલાક ચોખલિયા એમ.જે.અકબર જેવા મુસ્લિમો અને આપણા વડીલ પત્રકારો કહે છે કે ગરીબી,પછાતપણું અને અનએજ્યુકેશન આ લોકોને કટ્ટરતાવાદ ભણી ધકેલે છે.એમને ખબર નથી સિવિલ એન્જીનીઅર અને અબજોપતિ બીન લાદેન જેટલો કોઈ કટ્ટર હશે ખરો?

Wednesday, November 18, 2009

મંત્ર જપવાથી શું બુદ્ધી વધે?

માનવીનું બ્રેન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે.આખા શરીર નું કંટ્રોલ બ્રેન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે.બ્રેન ના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે.ડાબોડી લોકોનું જમણું બ્રેન વધારે કામ કરતુ હોય છે,એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેન વધારે એક્ટીવ હોય છે.આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો.જન્મ થી દસ વર્ષ સુધી એને મેન્ટલી રીટારડેડ સમજવામાં આવ્યો હતો.એ બોલી પણ ના શકતો.એનું બ્રેન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું.ચાલી પણના શકતો.એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા,જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો.ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા,નાતો કોઈ શ્રી યંત્ર ની પૂજા કરી હતી.સેરેબ્રલ પાલ્સી નો એ શિકાર હતો.બ્રેન નો એ વિભાગ શરીર નું બેલેન્સ જાળવવાનું કામ કરે છે.મહાન વૈજ્ઞાનિક ન્યુટન ની કેબીન માં બેસતો આવોજ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે.એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે.શ્રી યંત્રો ની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે.બ્રેન ને એક્ટીવ રાખવું પડે ,ગહન અભ્યાસ કરવો પડે,ચિંતન કરવું પડે.તમે કોઈ ધંધો કે નોકરી ના કરોતો શ્રી યંત્ર ની સતત પૂજા પણ પૈસા ના આપે.ના તો તમારો માનસિક વિકાસ થાય.આપણે મંત્રો જપવામાજ રહી ગયા.જુના જમાનાના ઋષીઓ આવા નહતા.એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે.સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર થઇ જાય,બીજું શું થાય?તમને ઊંઘ માં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય,બીજું શું ?બ્રેન ની આજ કારીગરી નો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો.છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી.લખવાનું બહુ પાછળથી આવ્યું.કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે.હજારો વર્ષોથી ,હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે. આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને,જપીને સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર કરીને સાચવેલા છે.એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.દા.ત.ગાયત્રી મંત્ર માં ભગવાન સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે.હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય.તમારા બ્રેન માં સ્ટોર થઇ જાય,એના થી આઈનસ્ટૈન ની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ જાય?એના માટે તમારે એ થીઅરી નોજ અભ્યાસ કરવો પડે.આઈનસ્ટૈન ને કોઈ દિવસ ગાયત્રી મંત્ર જપતા જાણ્યા નથી.બુદ્ધી માગવાથી થોડી મળી જાય,એના માટે સતત અભ્યાસ કરવો પડે.હજારો વર્ષો થી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?જે તે વિષય નું જ્ઞાન મેળવવા જેતે વિષય માં ખુંપી જવું પડે.મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગ ના જ્ઞાન ના અભાવે સતત જપીને,કંઠસ્થ રાખીને જીવતા રાખવા ના પ્રયત્નો માં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે,ધન મળી જશે,જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા.બાકી દુનિયા થી પાછળ પડી ગયા.દુનિયા ને શૂન્ય ની સાથે મેથ્સ,યોગ,આયુર્વેદ,કામસૂત્ર,કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન , સ્ટેઈનલેસસ્ટીલ જેવું ધાતુ વિજ્ઞાન અને અદ્વેતવાદ(લો ઓફ સીગ્યુલારીટી) જેવો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપવા વાળા આપણે પછાત રહી ગયા.ચરક ફીઝીશ્યન હતા,શુશ્રુત સર્જન હતા,કપાળ માંથી ચામડી લઈને યુદ્ધ માં તૂટેલા નાક ની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા.એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે.વાળ ના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે.આ બધું મારા ઘરનું નથી લખતો,"પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું? (ઇન્ડિયન્સ)", એવી એક ધોળી ચામડી વાળાએ બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી.ઘણું બધું હતું એમાં ભારતે દુનિયા ને આપેલ,આતો થોડા દાખલા જ આપ્યા છે. ક્યાં ભૂલ થઇ આપણી?કેમ પાછળ પડી ગયા? પી એમ રૂમ,સ્મશાન ગૃહ,લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્ર માં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે.શ્રી યંત્ર ની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને ગાયત્રી મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે,કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે,કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે,એક પોતાની જીભ કાપે છે,બીજો બીજા ના અંગ વાપરે છે,બધાને વિના પ્રયત્ને,સહેલાય થી બધું મેળવી લેવું છે.બ્રેન માં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી.હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી?એક મંત્ર સારી રીતે બ્રેન માં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલ studant કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી? રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?ગાંડો જ લાગશે.નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી,ધન મળે કે બુદ્ધી વધે.ધન મળે ધંધો પાણી કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.

Tuesday, November 17, 2009

ચોકલેટ અને ડ્રગ્સ

સાચી વાત છે.કોઈ ગમે તેટલું લખે કશો ફરક પડવાનો નથી.છતાં લખવાનો ધર્મ તો બજાવવો જ પડે.રોજી રોટીનો પણ સવાલ છેજ.આજે નાના છોકરાઓને ચોકલેટ,ચુન્ગમ ખાતા જોઇને જીવ બળે પણ એમના માબાપોને જ પડી નથી તો શું કરવું?આજે ધાવણ ના દાંત જયારે કોઈ બાળકના સડેલા જોઈએ છીએ ત્યારે એમના માબાપોને લાફો મારવાનું મન થાય છે.ભવિષ્ય માં આવનારા નીચે રહેલા દાંત ને પણ સડો લાગી ચુક્યો હોય છે.સાવ નાની ઉંમર માં પણ કેવીટી પુરાવવાની?આખી જિંદગી સડેલા દાંત સાથે જીવવાનું.અજબ છે દુનિયા.ચાલતા શીખે એ પહેલા તો ચોકલેટ,કેન્ડી ખાતા શીખે.મારા ત્રણે છોકરાઓને નાનપણ થીજ ચોકલેટ ખાવાની મનાઈ હતી.ચોકલેટ ભાગ્યેજ ખરીદવામાં આવતી.નાનપણ માં તો બિલકુલ નહિ.એના સુંદર પરિણામે આજે ત્રણે ના દાંત સારા છે.અને આજે હવે મોટા થયા પછી એમને સમજાયું છે કે અમે કેમ ચોકલેટ ખાવાદેતા નહતા.અને હવે એમને આદત પડતીજ નથી.કોઈ દિવસ ખાય પણ આદત ના પડે એજ જોવાનું.નાનપણ માં જે તમે આદતો પાડો અથવા પાડવા દો લાડમાં એ સબ્કોન્સીયાશ માઈન્ડ માં ઘર કરી જાય પછી ભૂલાવવી અઘરી. જો ચ્યુંન્ગમ માં પ્લાસ્ટિક આવતું હોય તો એતો ખુબ નકામું.થાક ઉતારવા કોકો પીતા હોય એનો મતલબ એ એક જાતનું ડ્રગ જ કહેવાય એની આદત જ પડી જાય,જેમ કે સૌરાષ્ટ્ર માં અફીણ ખાવાનો રીવાજ હતો.આવા માઈલ્ડ નશાની આદત જીન્દીગી ભરના છૂટે.કોઈએ એવી ઈ મેલ મને મોકલેલ કે કુરકુરે માં પ્લાસ્ટિક આવે છે.લોકો અમસ્તાજ કુર કુરે ની ચિપ્સ ખાતા હોય છે.શ્રી કાંતિ ભટ્ટ એના વિષે પ્રકાશ પાડશે તો ઘણું સારું.હમણા અહી અમેરિકામાં સવારે ૯ થી ૧૦ ડોક્ટર્સ નામનો શો આવે છે.એમાં ચાર ડોક્ટર્સ બેઠા હોય છે,એમાં જોયું કે નાના છોકરાઓને અહીના ડોક્ટર્સ પ્રીસ્ક્રીબ ડ્રગ્સ(નશાકારક,પેન્કીલાર) આપે છે.અને એની આદત પડી જાય છે.ઘણા અહીના ડોક્ટર્સ અનો વિરોધ કરે છે કે આવા આદત પડી જાય એવા ડ્રગ્સ ના લખવા જોઈએ.આના ઓવર ડોજ થી ઘણા છોકરા મરી પણ જાય છે. આવા આદત પડેલા છોકરા,છોકરીઓ,એમના માબાપ,આવા આદત થી મરી ગયેલા બાળકોના માબાપ અને આવી આદતમાંથી છૂટીને સુખી થયેલા, બધા ને શોમાં રજુ કરેલા.આ શો નો હેતુ ખુબ સારો હતો.ભારતમાં કદાચ આ દુષણ નહિ ફેલાયું હોય ડોક્ટર્સ માં.માઈકલ જેક્સન પણ આવીજ આદતમાં મરી ગયેલો.

Monday, November 16, 2009

શ્રી દેવેશ મહેતા એ લખેલ શાસ્ત્રોના અંશ,માંસાહાર ના અનુંશંધાન માં.

Rigveda, Manusmiriti sanction beef-eating A recent photograph of some Hindu protesters demanding a ban on non-vegetarian food in restaurants and government canteens in India made me sit up and take notice. I believe that these protesters are ignorant of what their religion preaches. They are simply going against their own religious scriptures. Most of the world religions sanctify offering of animals in sacrifice including Hinduism. Hindu scriptures are witnesses to such sacrifices and killings of animals for consumption. References of such commands are replete in Hindu scriptures like Manusmriti, Vedas, Upanishads, Brahmins, Grihsutras, Dharmasutras and others. This column would not suffice for quoting all such references but a few from different scriptures are imperative to bring home the point and clear the misconceptions: Manusmriti (Chapter 5 / Verse 30) says, “It is not sinful to eat meat of eatable animals, for Brahma has created both the eaters and the eatables.” Manusmriti (5 / 35) states: When a man who is properly engaged in a ritual does not eat meat, after his death he will become a sacrificial animal during twenty-one rebirths. Maharishi Yagyavalkya says in Shatpath Brahmin (3/1/2/21) that, “I eat beef because it is very soft and delicious.” Apastamb Grihsutram (1/3/10) says, “The cow should be slaughtered on the arrival of a guest, on the occasion of ‘Shraddha’ of ancestors and on the occasion of a marriage.” Rigveda (10/85/13) declares, “On the occasion of a girl’s marriage oxen and cows are slaughtered.” Rigveda (6/17/1) states that “Indra used to eat the meat of cow, calf, horse and buffalo.” Vashistha Dharmasutra (11/34) writes, “If a Brahmin refuses to eat the meat offered to him on the occasion of ‘Shraddha’ or worship, he goes to hell.” Also, comments of some great scholars of Hinduism are also worth noting: · Hinduism’s greatest propagator Swami Vivekanand said thus: “You will be surprised to know that according to ancient Hindu rites and rituals, a man cannot be a good Hindu who does not eat beef”. (The Complete Works of Swami Vivekanand, vol.3, p. 536). · Mukandilal writes in his book ‘Cow Slaughter – Horns of a Dilemma’, page 18: “In ancient India, cow-slaughter was considered auspicious on the occasions of some ceremonies. Bride and groom used to sit on the hide of a red ox in front of the ‘Vedi’ (alter).” · A renowned scholar of scriptures Dr. Pandurang Vaman Kane says, “Bajsancyi Samhita sanctifies beef-eating because of its purity”. (Dharmashastra Vichar Marathi, page 180) · Adi Shankaracharya’ commentary on Brihdaranyakopanishad 6/4/18 says : ‘Odan’ (rice) mixed with meat is called ‘Mansodan’. On being asked whose meat it should be, he answers ‘Uksha’. ‘Uksha’ is used for an ox, which is capable to produce semen. · The book ‘The History and Culture of the Indian People’, published by Bhartiya Vidya Bhawan, Bombay and edited by renowned historian R.C.Majumdar (Vol.2, page 578) says: “this is said in the Mahabharat that King Rantidev used to kill two thousand other animals in addition to two thousand cows daily in order to give their meat in charity”. It seems a great majority of the followers of Hinduism are not in contact with their religious scriptures thus falling an easy prey to the fascist forces like the Sangh Parivar who have nothing to offer to the Indian society save hatred. And all Indians know where these hatred-mongers are taking India to?

શાસ્ત્રોમાં માંસાહાર

આજના હિંદુ ધર્મ કરતા પુરાણો હિંદુ ધર્મ ખાવા પીવા ની બાબત માં જુદા નિયમો ધરાવતો હતો.માંસાહાર નો વિરોધ આર્યો નહોતા કરતા.જુના શાસ્ત્ર ગ્રંથોમાં થી ભાઈ શ્રી દેવેશ મહેતા એ થોડા અવતરણો લખેલા છે.જે દિવ્યભાસ્કર માં મારા લેખના નીચે અભિપ્રાય તરીકે છપાયેલા છે.તેના અંશો અત્રે રજુ કરવાનો પ્રયત્ન કરું છું.એમણે અંગ્રેજીમાં લખેલ છે.એમના લખ્યા મુજબ મનુસ્મૃતિ (૫/૩૦)ખાવાલાયક પ્રાણીઓ નું મીટ ખાવું પાપ નથી,કારણ બ્રહ્મા એ ખાનાર અને ખાદ્ય બનાવેલ છે.મહર્ષિ યાગ્ય વાલ્ક્યા કહે છે શતપથ બ્રાહ્મણ ગ્રંથ માં (૩/૧/૨/૨૧)કે હું ગાયનું માંસ ખાઉં છું કારણ કે એ સોફ્ટ અને પૌષ્ટિક,સ્વાદિષ્ટ છે.અપસ્તંબ ગૃહસુત્રમ(૧/૩/૧૦)ઘરે મહેમાન આવે ત્યારે,પૂર્વજોના શ્રાદ્ધ હોય અને લગ્ન પ્રસંગે ગાય ને કાપવી જોઈએ.ઋગ્વેદ (૧૦/૮૫/૧૩)ચૂકારીના લગ્ન પ્રસંગે ગાય અને આખલા કાપવામાં આવતા હતા.ઋગ્વેદ (૬/૧૭/૧)ઇન્દ્ર ગાય,વાછડા,ઘોડા અને ભેંસ નું માંસ ખાવા ટેવાયેલો છે.હવે જુઓ વશિષ્ટ ધર્મસૂત્ર (૧૧/૩૪)જો બ્રાહ્મણ શ્રાદ્ધ પ્રસંગે માંસ ખાવાની ના પડે તો નરક માં જાય.સ્વામી વિવેકાનંદ કહે છે,"તમને જાણી ને નવી લાગશે કે પ્રાચીન હિંદુ ઓના રીત રીવાજ મુજબ માણસ સારો હિંદુ નથી કહેવતો જો એ બીફ ગાયનું માંસ ના ખાતો હોય તો.(ધ કમ્પ્લીટ વર્કસ ઓફ સ્વામી વિવેકાનંદ,વોલ્યુમ.૩,પેજ ૫૩૬).સ્વામીજીને પણ આ બાબત નું આશ્ચર્ય હતું.મુકુન્દીલાલ અને ડો,પાંડુરંગ વામન કાણે પણ એમના પુસ્તકોમાં આની સાક્ષી પૂરે છે.આદિ શંકરાચાર્ય બૃહદાકારાણ્યા ઉપનિષદ માં લખે છે,ઉક્ષા એટલે આખલા ના મીટ માં ચોખા મિક્ષ કરવાથી પુરુષત્વ આવે.ઇતિહાસકાર આર સી મજુમદાર સંકલિત ,ભારતીય વિદ્યાભવન મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયન પીપલ(વોલ્યુમ ૨,પેજ ૫૭૮) માં લખે છે,મહાભારત માં રાજા રંતિદેવ ની કથા છે,એ રાજા રંતિદેવ રોજ ૨૦૦૦ બીજા પ્રાણીઓ સાથે ૨૦૦૦ ગયો રોજ કપાવીને તેના માંસ નું દાન લોકોને દાન માં અપાતા હતા.....માંસ ખાવું જોઈએ એવું હું નથી કહેતો,પણ માંસ ખાવાવાળા નર્ક માં જાય,એમની બુદ્ધી બગડી જાય એવું માની ના શકાય.શાકાહાર સારો છે,પણ શાકભાજી માં પણ જીવ છે,એને પણ પીડા થાય છે ફક્ત દેખાતી નથી.ઘાસ ખાનારો હાથી શક્તિશાળી છે,પણ ઘાસ પચે તેવું જઠર વાઘ સિંહ જોડે નથી એમાં એ બિચારા શું કરે.

Tuesday, November 10, 2009

નકસલવાદ વિશેના દિવ્યભાસ્કરમાં આવેલ લેખના અનુશનધાન્ માં.

સાચી વાત એ છે કે આપણ ને ત્રાસવાદ કોઠે પડી ગયો છે.કોઈ સબ ઇન્સ્પેક્ટર નું ગળું કપાય તો આપણ ને દુખ થતું નથી.મુંબઈ માં કોઈ મરે તો ગુજરાત ને શું?ને ગુજરાતમાં કોઈ મરે તો મુંબઈ ને શું?અમેરિકા ને બીજું ૯-૧૧ પોંસાય તેમ નથી.આપણ ને પોસાય છે.આપણે ટેવાય ગયા છીએ.ન્યુ જર્સી ના ગવર્નર(અહી રાજ્યના ગવર્નર એટલે મુખ્ય મંત્રી સમજવું) કોર્જાઈન ને એક્સીડેન્ટ થયો.પોલીસ આવી.બધી કારવાઈ કરી,વધારામાં ખબર પડી કે રાજ્યના સર્વોચ્ચ વડાએ બેલ્ટ નહોતો બાંધ્યો તો પોલીસે એમને દંડ ની ટીકીટ આપી દીધી.સુરક્ષા ની બાબત માં કોઈ બાંધછોડ ના ચાલે.આપણા શાહરૂખ ભાઈ ને એરપોર્ટ પર રોક્યા એમાંતો જાણે આભ તૂટી પડ્યું.નેતાઓ પત્રકારો થી માંડી ને બધા તૂટી પડ્યા.દેશ ના લાખો લોકોની સુરક્ષા માટે થોડા નિર્દોષ મરે કે હેરાન થાય તો વાંધો નહિ એવી અમેરિકા,રશિયા જેવા દેશોની નીતિ રહી છે,જયારે દેશના લાખો લોકો મરે કે હેરાન થાય તો જરાય વાંધો નહિ પણ એકાદ સગાવહાલા કે નેતા કે ગુંડા ને કશું ના થવું જોઈએ એવી ભારત ની નીતિ રહી છે.એક સગાને છોડાવવા જતા છોડેલો ત્રાસવાદી બીજા હજારો નિર્દોષ દેશવાસીઓને મારે તો ચાલે.જ્યાં દરેક સરકારોની નીતિ આવીજ રહી હોય ત્યાં ત્રાસવાદ,નકસલવાદ,આવા વાદો ચલાવાનાજ,ગુંડારાજ તો ચાલેજ છે.બીજું આવા ગુનેગારોને હીરો બનાવી દેવાની વૃત્તિ તો પહેલાથીજ ચાલતી આવી છે.કોઈ ડાકુ,બહારવટિયા,ગુંડાઓ ને ગરીબો કે પ્રજાની પડી હોતી નથી એલોકો એમના સ્વાર્થ માટેજ કાયદા તોડવા નીકળી પડતા હોય છે.ચંબલ ના ડાકુઓને હીરો બનાવ્યા,ફૂલનદેવી ને હીરો બનાવી,દાઉદ ઈબ્રાહીમ ને હીરો બનાવ્યો,બધા ફિલ્મી ટટુઓ એના ત્યાં નાચવા જતા હતા.સૌરાષ્ટ્ર માં પણ બહારવટિયાઓ ને હીરો બનાવી દીધા હતા.જેતે રાજ્યના એ લોકો ગુનેગારો હતા.એમને અન્યાય થયો હોય તો રાજ સામે લડે,એ લોકોતો ગરીબ ખેડૂતોને મારી નાખતા હતા.રાજ ના લશ્કર સામે લડવાનું ગજું કે સંખ્યાબળ ના હોય એટલે છુપાઈને ગરીબ ખેડૂતોને મારતા.ભૂપત બહારવટિયા એ એક ગામ ના નવ પટેલોને એક લાઈન માં ઉભા રાખી એક ગોળી થી વીંધી નાખેલા એવી વાતો વાચેલી છે.બધા બહારવટિયાઓ ગુનેગારો જ હતા.આપણા મહાન લેખકોએ આવા ગુનેગારોને હીરો બનાવતી વાર્તાઓ રચેલી જ છે. આવા ગુનેગારોને ઝબ્બે કરનારા બહાદુર ડી એસ પી છેલભાઈ ભટ્ટ પણ ગાંધીજીના જમાનાના જ હતા.કસાબ ને અફઝલ ને ફાંસી આપતા એનો કોઈ સગો રિસાઈ જાય તો?