પીંડારી,લુંટારા વીર મુવી પછી હીરો બનવાના,સાચી હકીકત જાણો,અહી
http://brsinh.wordpress.com/
શનિવાર, 23 જાન્યુઆરી, 2010
શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010
The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..
અસ્તિત્વ માટેની મથામણ વોરિયર ગુરુ ,,,,,,,,,,,,,,,,,,,,તમે અત્યારના કોઈ સ્વામી,બાપુ ,ગુરુ,બાવાશ્રી,મહારાજશ્રી ને હાથમાં બંદુક કે હથિયાર લઇ ત્રાસવાદ સામે લડતા કલ્પી શકો ખરા?ના બરોબર ને?ભગવાન શ્રી કૃષ્ણ ને ભારતના અધ્યાત્મીક્જગત ના મહાગુરુ કહી શકાય.એમણે હથિયાર ઉપાડેલા.ત્યાર પછી કોઈ ગુરુ એ પાચ હજાર વર્ષ સુધી હથિયાર ઉપાડ્યા હોય એવું જાણ્યું નથી.અને ઉપાડ્યા હોય તો મને ખબર નથી.પણ એક ધાર્મિક ગુરુ થએલા ૧૭ મી સદીમાં,જેમણે એમના ૪૨ વર્ષ ના જીવનકાળ માં ૨૦ યુદ્ધો લડેલા.અને એક આખી કોમ ને બહાદુર બનાવી દીધી.આ હતું અસ્તિત્વ ટકાવવા માટેનું સામુહિક સમૂળગું પરિવર્તન.ડીસેમ્બર ૨૨,૧૬૬૬ ના દિવસે પટના માં જન્મેલા ગોવિંદરાય,શીખ ધર્મ ના નવમાં ગુરુ તેગબહાદુર ના પુત્ર હતા.પાંચ વર્ષ સુધી પટના માં નાનપણ માંથી વોરગેમ રમતા આવેલા ગોવિંદ રાય ને પટના ના રાજા અને રાણી પણ ખુબ માન આપતા.રાણી તો એમને બાલા પ્રીતમ એટલે બાળપ્રભુ જ કહેતા.
*ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિક ના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતું.ગોવીન્દરાય પંજાબી,હિન્દી,વ્રજ,સંસ્કૃત,પર્શિયન અને અરબી આટલી ભાષાઓ ના નિષ્ણાત હતા.પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા.કોઈ રાજ ઘરાના ના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારી ની તમામ તાલીમ લીધેલી.એ વખતે દિલ્હી માં ઔરંગઝેબ નું રાજ્ય હતું ને,હિંદુ મુસ્લિમ ના કાયદા અલગ હતા.લગભગ હિંદુ ઓના હિત ના કોઈ કાયદા જ નહતા.એટલે થોડા કાશ્મીરી પંડિતો નું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું,ને ઔરંગઝેબ ને સમજાવવા જવા માટે તૈયાર કર્યા.ઔરંગઝેબ દ્વારા તેગબહાદુર ને કેદ કરવામાં આવ્યા,ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું.ગુરુ ના માન્યાં.૧૧ નવે,૧૬૭૫ ના દિવસે ગુરુ તેગ બહાદુર નો શિરચ્છેદ કરવામાં આવ્યો.અને ચાંદની ચોક માં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવા માં આવ્યું.પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા.દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોત ના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા.આ બાજુ ગોવિંદરાય ને દસમાં ગુરુ જાહેર કરાયા.હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ સારા કવિ પણ હતા.પ્રેમ,વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબત ના ઘણા કાવ્યો રચેલા.એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ) ની સ્થાપના કરી.એમના સૈન્ય માં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
*સતત ભાગદોડ,અને યુદ્ધો ગુરુ ને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવ ના અનુયાયી ઓ થી મેળ નહિ પડે.કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તન નો સમય આવી ચુક્યો છે.ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય.ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું.એક નાના ટેન્ટ માં બધા ભેગા થયા.ગુરુએ પૂછ્યું
*હું કોણ છું તમારા માટે? જવાબ મળ્યો,અમારા ગુરુ.
*તમે કોણ છો? જવાબ મળ્યો,અમે તમારા શીખ છીએ.
*ગુરુ એમના શીખો પાસે થી કશું ક ઈચ્છે છે,જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
*ગુરુ એ કમર માંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે?મારે માથું જોઈએ.કોઈ જવાબ નહિ.એક વાર,બેવાર કોઈ જવાબ નહિ.ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા.ગુરુ એમને અંદર લઇ ગયા.અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું,ને લોહી થી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા.હજુ બલિદાન જોઈએ,સભા માંથી ધરમદાસ ઉભા થયા.ગુરુ અંદર લઇ ગયા.પાછા લોહી થી ખરડાએલી તલવાર લઇ બહાર આવ્યા.હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી.એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા.થોડીવાર પછી પાંચેય અનુયાયી ઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા.જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે,ખાલસા પંથ ના પ્રથમ દિક્ષિતો.અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથ ની સ્થાપના કરી.ખાલસા એટલે પ્યોર શુદ્ધ.ખાલસા પંથ ના પહેલા પાચ દિક્ષિતો હતા,(૧)દયારામ (દયાસિંહ)(૨)ધરમદાસ(ધરમસિંહ)(૩)હિંમતરાય(હિંમતસિંહ)(૪)મોહ્કમચંદ(મોહકમસિંહ)(૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખ ના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે.રામ,દાસ,ચંદ,રાય આ બધા હવે સિંહ બન્યા.આ હતું એક વૈશ્ય જેવી કોમ નું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન.અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમ ને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાય માંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે.સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની.અને સ્ત્રીઓના નામ ની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું,આજથી બધાજ શીખ એકજ કોમ ના નાતજાત કશુજ નહિ.કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ.આખી વર્ણ વ્યવસ્થા એકજ ઝાટકે દુર.કોઈ હિંદુ કે મુસલમાન ધર્મ ના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ.શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું.ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના.સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ,સતી થવાનો રીવાજ બંધ,બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ,એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ,ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું.ધુમ્રપાન બંધ,નાતજાત,રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદો ની સેવા અને રક્ષા.તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું,દરેક શીખે પાચ ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના.હાથમાં કડું પહેરવાનું,કડું એ એકજ ભગવાન,યુનિવર્સલ ગોડ નું પ્રતિક છે.હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની.કોઈ અંધવિશ્વાસ માં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તન માં વિશ્વાસ રાખવાનો,મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય.
* એક નરમ ગણાતી કોમ ને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી.ઔરંગઝેબ ને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું,એણે ગુરુ જોડે મૈત્રી ના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા,ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબ નો દેહાંત થયોછે.૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીર નો ખિતાબ આપ્યો.સરહિન્દ ના નવાબ વઝીરખાન ને આ મૈત્રી ખટકી,એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા,જમશેદ ખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુ ના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદ ખાને વાર કર્યો,ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો.વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો.સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા,પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે.ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ,ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ.મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો,૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ ના દિવસે મહારાષ્ટ્ર ના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.
*ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓ નું મહત્વ સમજતા હતા,માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા.ગુરુ ને ખબર હતી પાછળ ની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય,એટલે ગુરુપ્રથાજ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી,કેટલી દૂરદર્શિતા.આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુ ના લશ્કર માં મુસલમાન સૈનિકો કામ કરતા હતા,ગુરુ માટે લડતા હતા.ગુરુ જરાય કોમવાદી ના હતા.આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે.અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા.આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.
*આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસ ની ફક્ત વસ્તુ સમજે છે.નથી જરૂર પોતાને હિંદુ ધર્મ ના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની,પરિષદ કે સંઘ ની.નથી જરૂર તુલસીદાસ ની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની.નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી,સ્કુલ કોલેજ ને ધર્મના,પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની.નથી જરૂર નાના બાળકોને ધર્મ ના રવાડે ચડાવી બચપણ માં અકુદરતી બ્રહ્મચર્ય ના પાઠ ભણાવતા,દિક્ષા આપી દેતા મહાત્માઓની.
*ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહ ની,જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં,તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં.વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god),વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god).આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધ માંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..
*ઈ.સ.૧૬૬૫ માં ગુરુ તેગબહાદુરે શિવાલિક ના પર્વતોમાં થોડી જમીન વેચાતી લઇ આનંદપુર સાહિબ ગામ વસાવ્યું હતું.ગોવીન્દરાય પંજાબી,હિન્દી,વ્રજ,સંસ્કૃત,પર્શિયન અને અરબી આટલી ભાષાઓ ના નિષ્ણાત હતા.પર્શિયન અને અરબી કાજી પીર મહમદ પાસે થી શીખેલા.કોઈ રાજ ઘરાના ના રાજપૂત યોદ્ધા પાસે થી યુદ્ધ તથા ઘોડેસવારી ની તમામ તાલીમ લીધેલી.એ વખતે દિલ્હી માં ઔરંગઝેબ નું રાજ્ય હતું ને,હિંદુ મુસ્લિમ ના કાયદા અલગ હતા.લગભગ હિંદુ ઓના હિત ના કોઈ કાયદા જ નહતા.એટલે થોડા કાશ્મીરી પંડિતો નું એક જૂથ ગુરુ તેગ બહાદુર પાસે આવ્યું,ને ઔરંગઝેબ ને સમજાવવા જવા માટે તૈયાર કર્યા.ઔરંગઝેબ દ્વારા તેગબહાદુર ને કેદ કરવામાં આવ્યા,ને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું.ગુરુ ના માન્યાં.૧૧ નવે,૧૬૭૫ ના દિવસે ગુરુ તેગ બહાદુર નો શિરચ્છેદ કરવામાં આવ્યો.અને ચાંદની ચોક માં પ્રદર્શન માટે માથું મુકવાનું નક્કી કરવા માં આવ્યું.પણ આ યોજના સફળ ના થવા દઈ કોઈ પણ હિસાબે ભાઈ જીવણ માથું લઇ આનાદ્પુર સાહિબ ભાગી આવ્યા.દિલ્હીમાં ગુરુ સાથે ગયેલા અનુયાયીઓ મોત ના ડર થી ગભરાયા અને ખુદ ગુરુ ને ઓળખવાનો ઇનકાર કરવા લાગ્યા.આ બાજુ ગોવિંદરાય ને દસમાં ગુરુ જાહેર કરાયા.હિંદુ રાજાઓ અને મુસ્લિમ નવાબો સાથે પોતાના તથા અનુયાયીઓના અસ્તિત્વ માટે સતત યુદ્ધો ને સંતાકુકડી રમતા આ ગુરુ સારા કવિ પણ હતા.પ્રેમ,વિશ્વ બંધુત્વ ને એક જ ઈશ્વર ને ભજવા બાબત ના ઘણા કાવ્યો રચેલા.એમણે સૈનિકોને પ્રોત્સાહિત કરવા રણજીત નગારા (વોર ડ્રમ) ની સ્થાપના કરી.એમના સૈન્ય માં પઠાણ સૈનિકો પણ કામ કરતા.
*સતત ભાગદોડ,અને યુદ્ધો ગુરુ ને લાગ્યું કે હવે આ વૈશ્ય જેવા સ્વભાવ ના અનુયાયી ઓ થી મેળ નહિ પડે.કોઈ સામુહિક અને સમૂળગા પરિવર્તન નો સમય આવી ચુક્યો છે.ઈતિહાસ ગવાહ છે કે કોઈ ઠેકાણે આવો પ્રયોગ થયો નહિ હોય.ગુરુએ એમના અનુયાયીઓને ભેગા થવાનું હુકમનામું મોકલ્યું.એક નાના ટેન્ટ માં બધા ભેગા થયા.ગુરુએ પૂછ્યું
*હું કોણ છું તમારા માટે? જવાબ મળ્યો,અમારા ગુરુ.
*તમે કોણ છો? જવાબ મળ્યો,અમે તમારા શીખ છીએ.
*ગુરુ એમના શીખો પાસે થી કશું ક ઈચ્છે છે,જવાબ મળ્યો હુકમ કરો સચ્ચે પાદશાહ.
*ગુરુ એ કમર માંથી તલવાર ખેંચી ને બોલ્યા કોણ બલિદાન આપે છે?મારે માથું જોઈએ.કોઈ જવાબ નહિ.એક વાર,બેવાર કોઈ જવાબ નહિ.ત્રીજી વાર બોલ્યા ને ભાઈ દયારામ ઉભા થયા.ગુરુ એમને અંદર લઇ ગયા.અંદર છુપી રીતે રાખેલા બકરાનું માથું કાપી નાખ્યું,ને લોહી થી રંગાયેલી તલવાર લઇ પાછા બહાર લોકો વચ્ચે આવ્યા.હજુ બલિદાન જોઈએ,સભા માંથી ધરમદાસ ઉભા થયા.ગુરુ અંદર લઇ ગયા.પાછા લોહી થી ખરડાએલી તલવાર લઇ બહાર આવ્યા.હવે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું થઇ ચુક્યું હતું ને લોકોમાં હિંમત પણ આવી ગઈ હતી.એક પછી એક પાંચ જણા ને ગુરુ અંદર લઇ ગયા.થોડીવાર પછી પાંચેય અનુયાયી ઓ સાથે નવા વસ્ત્રોમાં ગુરુ બહાર આવ્યા.જાહેર કર્યું કે આ છે મારા પંજ પ્યારે,ખાલસા પંથ ના પ્રથમ દિક્ષિતો.અને આમ ૩૦ માર્ચ ૧૬૯૯ માં ખાલસા પંથ ની સ્થાપના કરી.ખાલસા એટલે પ્યોર શુદ્ધ.ખાલસા પંથ ના પહેલા પાચ દિક્ષિતો હતા,(૧)દયારામ (દયાસિંહ)(૨)ધરમદાસ(ધરમસિંહ)(૩)હિંમતરાય(હિંમતસિંહ)(૪)મોહ્કમચંદ(મોહકમસિંહ)(૫)સાહિબચંદ(સાહિબસિંહ)..ગુરુએ આદેશ આપ્યા કે હવે દરેક શીખ ના નામ પાછળ આજથી હવે સિંહ લાગશે.રામ,દાસ,ચંદ,રાય આ બધા હવે સિંહ બન્યા.આ હતું એક વૈશ્ય જેવી કોમ નું સામુહિક અને સમૂળગું સાયકોલોજીકલ પરિવર્તન.અસ્તિત્વ ટકાવવાની એક અદમ્ય મહેચ્છા એ એક આખી વૈશ્ય કોમ ને એના મહાન ગુરુએ ધરમૂળ થી બદલી ક્ષત્રિય બનાવી દીધી. અને બધા ની સાથે પોતે પણ એમના જેવા જ છે, ગુરુ પોતે પેલા પ્રથમ પાચ ખાલસા જોડે જોડાય છે અને ગોવિંદરાય માંથી ગુરુ ગોવિંદસિંહ બને છે.
*ગુરુ ગોવિંદસિંહ કેટલાક નવા આદેશો જાહેર કરે છે.સ્ત્રીઓ પણ સરખી જ ભાગીદાર ગણવાની.અને સ્ત્રીઓના નામ ની પાછળ કૌર એટલે રાજકુમારીઓ લગાવવાનું,આજથી બધાજ શીખ એકજ કોમ ના નાતજાત કશુજ નહિ.કોઈ ઊંચ નહિ કોઈ નીચ નહિ.આખી વર્ણ વ્યવસ્થા એકજ ઝાટકે દુર.કોઈ હિંદુ કે મુસલમાન ધર્મ ના રીતિરિવાજ પાળવાની જરૂર નહિ.શુદ્ધ ગૃહસ્થ જીવન જીવવાનું.ના કોઈ સન્યાસ ના કોઈ ખોટા બ્રહ્મચર્યો પાળવાના.સ્ત્રીઓ માટે પરદા પ્રથા બંધ,સતી થવાનો રીવાજ બંધ,બાળકીઓને મારનાર સાથે કોઈ સંબંધ નહિ,એટલે નાની બાળકીઓને જન્મ થતા દૂધપીતી કરી મારી નાખવાનો રીવાજ બંધ,ધર્મ માટે બલિદાન આપવા હમેશ તૈયાર રહેવાનું.ધુમ્રપાન બંધ,નાતજાત,રંગ ના ભેદભાવ વગર ગરીબોને જરૂરિયાતમંદો ની સેવા અને રક્ષા.તેગ એટલે તલવાર ની સાથે દેગ એટલે ધર્માદા ભોજન પણ મહત્વનું,દરેક શીખે પાચ ક(કેશ,કંગ,કડા,કચ્છ,કિરપાણ) ધારણ કરવાના.હાથમાં કડું પહેરવાનું,કડું એ એકજ ભગવાન,યુનિવર્સલ ગોડ નું પ્રતિક છે.હથિયારોને પ્રેમ કરવાનો અને ઘોડેસવારી દરેકે શીખવાની.કોઈ અંધવિશ્વાસ માં માનવાનું નહિ ને ના કોઈ ધર્મ પરિવર્તન માં વિશ્વાસ રાખવાનો,મતલબ શીખ ધર્મ પાળવા માટે કોઈને આગ્રહ ના કરાય.
* એક નરમ ગણાતી કોમ ને બહાદુર બનાવનાર ગુરુ ગોવીદસિંહ જેવો કોઈ ધાર્મિક નેતા આજસુધી પાક્યો નથી.ઔરંગઝેબ ને પણ હવે આ ગુરુ નું મહત્વ સમજાઈ ચુક્યું હતું,એણે ગુરુ જોડે મૈત્રી ના સબંધો રચવા ગુરુને મળવા માટે બોલાવ્યા,ગુરુ ઔરંગઝેબ ને મળવા દક્ષીણ જવા રવાના થયા પણ રસ્તામાં સમાચાર મળ્યા કે ઔરંગઝેબ નો દેહાંત થયોછે.૨૩ જુલાઈ ૧૭૦૭ માં બહાદુર શાહે આગ્રા બોલાવી હિન્દ કા પીર નો ખિતાબ આપ્યો.સરહિન્દ ના નવાબ વઝીરખાન ને આ મૈત્રી ખટકી,એણે બે ભાડુતી પઠાણો ને મોકલ્યા,જમશેદ ખાન અને વસીલબેગ બંને ચોરી છુપી થી ગુરુ ના તંબુ માં ઘુસ્યા ગુરુ આરામ કરતા હતા ને જમશેદ ખાને વાર કર્યો,ગુરુની કીર્પાણે એણે રહેસી તો નાખ્યો પણ એણે હૃદય ની નીચે કરેલો વાર ભારે નીકળ્યો.વસીલબેગ ને તો ભારે અવાજોથી દોડી આવેલા શીખોએ પૂરો કરી નાખ્યો.સુલતાને મોકલેલ અંગ્રેજ ડોકટરે ટાંકા લીધા,પણ હથિયાર પ્રિય ગુરુ એમના ધનુષ ને કશું કરવા જતા જોર પડવાથી ટાંકા ખુલી ગયા ને પુષ્કળ લોહી વહી જવાથી ગુરુને ખ્યાલ આવી ગયો કે હવે અંત નજીક છે.ગુરુએ જાહેર કર્યું કે હવે કોઈ ગુરુ નહિ,ગુરુ ગ્રંથ સાહેબ એજ હવે શીખોના કાયમી ગુરુ.મહાન ગુરુએ એમની જાતે જ ગુરુપ્રથાનો પણ અંત આણી દીધો,૧૦મિ ઓક્ટોબર ૧૭૦૮ ના દિવસે મહારાષ્ટ્ર ના નાંદેડ ખાતે આ મહાન ગુરુએ દેહ છોડ્યો,ઉમર હતી ફક્ત ૪૨ વર્ષ.
*ગુરુ ગોવિંદસિંહ સ્ત્રીઓ નું મહત્વ સમજતા હતા,માટે સ્ત્રીઓને પુરુષો જેટલાજ અધિકાર આપેલા.ગુરુ ને ખબર હતી પાછળ ની પેઢીમાં કોઈ સારો ગુરુ નાં પણ પાકે કે ગુરુપ્રથા નો દુરુપયોગ પણ થાય,એટલે ગુરુપ્રથાજ ગ્રંથસાહેબ ને ગુરુ બનાવી બધ કરી દીધી,કેટલી દૂરદર્શિતા.આખી જીંદગી મુસલમાન નવાબો ને સુલતાન સાથે લડેલા ગુરુ ના લશ્કર માં મુસલમાન સૈનિકો કામ કરતા હતા,ગુરુ માટે લડતા હતા.ગુરુ જરાય કોમવાદી ના હતા.આજના નેતાઓએ આના પરથી ધડો લેવા જેવો છે.અને છતાય જો કોઈ મુસલમાન લડવા આવે તો એને જરાપણ વાર કર્યા વગર ગુરુ રહેંસી નાખતા.આજની સરકારોએ ત્રાસવાદ સામે લડવા માટે અના પરથી શીખવા જેવું છે.
*આજે ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર નથી સ્વામીઓની જેઓ સ્ત્રીઓના દુશ્મન છે, નથી જરૂર એવા બાવાશ્રીઓની જેઓ સ્ત્રીઓને ભોગ વિલાસ ની ફક્ત વસ્તુ સમજે છે.નથી જરૂર પોતાને હિંદુ ધર્મ ના રખેવાળો તરીકે ઓળખાવતા પક્ષોની,પરિષદ કે સંઘ ની.નથી જરૂર તુલસીદાસ ની કવિતાઓ ગાઈ શ્રોતાઓને રડાવતા બાપુઓની.નથી જરૂર થોડી ઘણી ચેરીટી કરી,સ્કુલ કોલેજ ને ધર્મના,પંથના ફેલાવાનું સાધન બનાવી, રોજ નિત નવા મંદિરો બનાવી પ્રજાના પૈસા વેડફતા સંતોની.નથી જરૂર નાના બાળકોને ધર્મ ના રવાડે ચડાવી બચપણ માં અકુદરતી બ્રહ્મચર્ય ના પાઠ ભણાવતા,દિક્ષા આપી દેતા મહાત્માઓની.
*ભારતને અને હિંદુ ધર્મ ને જરૂર છે ફક્ત એકજ ગુરુ ગોવિંદસિંહ ની,જે કહેતા હતા બાજ સે મૈ ચીડિયા લડાઉં,તબ ગુરુ ગોવિંદસિંહ કહેલાઉં.વાહે ગુરુજીકા ખાલસા(Khalsa belongs to god),વાહે ગુરુજી કી ફતેહ(Victory belongs to god).આ હતા અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધ માંથી ઉત્પન થયેલા મહાન ગુરુ The Ultimate Warrior Guru Govindsinh..A Poet,,A philosopher..
શું ભગવાન ઊંઘે છે?ધોરાજી માં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ
*ભગવાન કદી ઉંઘે ખરો?ભગવાન ઉંઘે તો જગત ચાલે ખરું?શું ભગવાન કોઈ વ્યક્તિ છે?માણસે ભગવાન વિષે કલ્પના કરી સુંદર માણસ જેવા ભગવાન બનાવી દીધા.જરા વધારે સુંદર ,વધારે બળવાન.માણસ જે જે નકરી શકે,શારીરિક મર્યાદા ના લીધે કે બીજા કોઈ કારણ સર એ બધું આ કાલ્પનિક ભગવાન જોડે કરાવી લે.માનો કોઈ પશુ ને કુદરતે બ્રેન આપ્યું હોત અને એ એના ભગવાન ની કલ્પના કરે તો?ભગવાન ઘાસ ચરવા જાય.વાગોળે,અને ?કોઈ સિંહ ને બુદ્ધી આવી જાય ને ભગવાન ની રચના કરેતો?ડબલ સાઈઝ નો સિંહ હોય,ને હાથી એને ભગાડી મુકે છે એવું આ સિંહ ભગવાન આગળ ના થાય.બસ હવે વધારે કલ્પના નથી કરવા જેવી ખરુંને!સારું છે કે ગધેડા ને આવો વિચાર ના આવે.
*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
*નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ?
*બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.
*ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.
જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને.
તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ.
*ભગવાન એક ક્ષણ ઉંઘે તો જગત ચાલે જ નહિ.તો પછી આ ભગવાન ને જગાડવા,ઊંઘાડવા,જમાડવા,નવરાવવા,કપડા પહેરાવવા?એક બાજુ આપણે કહીએ છીએ કે ભગવાન કણ કણ માં છે.દરેક જગ્યાએ છે.તો પછી આ મંદિર માં લાંબી લાઈનો અને ભીડ માં કચડાઈ ને મરવું ? એક ભાઈ મને કટાક્ષ માં પુછાતા હતા કે પથ્થર ને ભગવાન માનીને પૂજો છો ને?પથ્થર માં પણ ભગવાન તો છેજ.એટલે પૂજવામાં શું વાંધો?પણ પછી કોઈ ત્રાસવાદી મારવા આવે તો એ ભગવાન પાસે આશા ના રખાય કે ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરીદે.મંદિર ની અંદર રહેલા પથ્થર માં અને મંદિર ના ઓટલા કે પગથીયા ના પત્થર માં પણ ભગવાન તો સરખોજ છે.બહુ ભીડ હોય તો લાઈન માં ઉભા રહીને હું તો કદી દર્શન કરવા જતો નથી.હા ભીડ ના હોય તો શિલ્પકાર ની કળા ના દર્શન કરવા કે પછી દરજીભાઇ નું પ્રાચીન ફેશન ડીઝાઇનીગ જોવા ચોક્કસ જાઉં.કારણ ભગવાન શ્રી કૃષ્ણે જે તે સમયે કઈ આવા કપડા કે શણગાર કર્યાં નહિ જ હોય.કારણ રેશમ ની શોધ તો ચીનાઓ ની છે.રેશમી જરિયન ,જામા એ જમાના માં તો ખબર નહિ.બહુ મારી નાખે એવી ભીડ હોય તો ઓટલાના કે શિખરના દર્શન કરી પાછા વળી જવું બહેતર.ભાદરવી પૂનમે અંબાજી માં પણ આવું જ થાય છે.મારા ઘણા મિત્રો દુર થી ધજા ના દર્શન કરી ને પાછા આવેલા છે.અંબાજી ગામ માં ઘુસવા જ ના મળે.
*નિરંજન ,નિરાકાર ભગવાન માં આકાર આવ્યો ક્યાંથી?એક બાળક નાના ઢીંગલા ઢીંગલી ને રમાડે,નવરાવે,ખવડાવે,ઊંઘાડે,ઉઠાડે,મારે પણ ખરા.તો પછી મોટા ક્યારે થવાનું?બાળક તો ઉંમર થાય એટલે બધું ભૂલી જાય કે આતો નાનપણ ની વાતો હવે ભૂલી જવાનું.પણ આતો મોટા જ ના થાય.મોટા થયા પછી બુદ્ધી બાળક બની જાય.જોકે ઉંમર ને અને બુદ્ધી ને શું લાગે વળગે?આમેય ઘડપણ માં બુદ્ધી તો નાસવાની જ છે ને,સાઠે બુદ્ધી નાઠે,આજરા વહેલી નાઠે.પણ હતીજ ક્યાં તે નાઠે?પણ તમને પુખ્ત થવા દે તો એમનો ધંધો કઈ રીતે ચાલે?ના સમજ્યા?ગુરુઓનો ધંધો,આપણામાં બુદ્ધી હોય તો લાઈન માં ને ભીડ માં મરવા શું કામ જઈએ?
*બધા કહેશે આપણો ધર્મ વૈદિક ધર્મ,અમે વૈદિક ધર્મ નો ડંકો દુનિયા માં વગાડીએ છીએ.એક વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓનું મોઢું પણ નજોઈએ,નર્ક માં જવાય.અને બીજો વૈદિક ધર્મ કહેશે અમે તો સ્ત્રીઓ જોડે જલસા કરવાના.અરે અમે જ તો કૃષ્ણ છીએ,મુરખો બધું કૃષ્ણ(અમને) ને અર્પણ કરી ને ખાવ કે વાપરો,એમાં તમારી સ્ત્રીઓ પણ આવી ગયી.અરે ભૂલ્યા દીકરીઓ પણ આવી ગઈ.એકજ ગુરુ ના બે ચેલા ,એક સ્ત્રીનું મોઢું ના જુવે ,બીજો સ્ત્રીઓને દીક્ષા આપે.ગુરુ ને કોણ પૂછે છે?ગુરુ પણ મૂળ ધર્મ ના સ્થાપક ની વાત જ ના માનતા હોય.ધર્મ શેના?ભૂલ્યો આ તો બધા વાડાઓ.પેલા કુવાના દેડકાની કવિતા કે વાર્તા હમણાતો વાંચી હતી.
*ચાલો બહુ ભોળા થવું એને ગામડાં માં મૂરખા કહે છે.અને ભોળા થવું પણ ભોટ ના થવું,એવું પણ ડાહ્યા લોકો કહે છે.તો ધોરાજી માં મંદિર ની ભીડ માં માર્યા ગયેલા બહુ ભોળા આત્માઓ ને પ્રભુ શાંતિ અર્પે,એવી ર્હદય પૂર્વક ની શ્રદ્ધાંજલિ અને એમના બહુ ભોળા સબંધીઓને પ્રભુ સદબુદ્ધી અર્પે.ફરી જરા વધારે ભોળા ના બને એવી આશા રાખીએ.
જીવ ને બહુ ચચરે છે,આવું બધું લખતા.આંખમાં આંશુ સાથે ગુસ્સો તો એવો આવે છે કે અલ્યા ક્યાં ગઈ મારી તલવાર?મૂળ રાજપૂત નું લોહી ને.
તો વળી અમારો જુનો સાથી કચરો દોડતો આવ્યો,કહે બાપુ કાલે જ માળિયા માં ચડ્યો હતો બધું સાફ કરવા તો તલવાર હાથ માં આવી ,બાપુ બહુ કાટ ચડી ગયો છે.મેં કહ્યું એવું છે?હા હવે શું થાય વસ્તુ વપરાય ના તો કાટ જ ચડેને?સારું તો હવે લાવ કલમ.
બુધવાર, 30 ડિસેમ્બર, 2009
ભ્રષ્ટાચારની રાઠોડબ્રાન્ડ જુગલબંધી - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai
બુધવાર, 23 ડિસેમ્બર, 2009
અસ્તિત્વ માટેની મથામણ.
*એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.
, * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.
*સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.
*આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.
*એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.
*આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.
*ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.
*વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.
* દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો નો ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.
*સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.
, * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.
*સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.
*આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.
*એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.
*આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.
*ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.
*વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.
* દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો નો ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.
*સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.
રવિવાર, 20 ડિસેમ્બર, 2009
સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.
સર્વાઇવલ ના યુદ્ધ માં કમજોર વસ્તી વધારે,,,,,,,,,
*આજે દિવ્યભાસ્કર માં ગુજરાત ના પનોતા પુત્ર સામ પિત્રોડા નો વિઝન વિભાગ માં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તી થી આરોગ્ય અને સુખાકારી ના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારત ની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન) ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.
*સર્વાઇવલ ના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે."સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ" એવું ડાર્વિન કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોર નું આ દુનિયા માં કામ નથી.
*દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા,માં ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવો માં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.
*એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્ર નો ધર્મ જ કહેવાય.
*પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારત માં તો નાં જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરક માં જવાય.પુરુષ પ્રધાન સમાજ માં દીકરા થી વંશ ચાલે.બીજું કારણ પુરુષ ના જીન્સ વાય ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં નથાય કેમ કે દીકરીમાં વાય હોતા નથી ફક્ત એક્સ જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરી ના જન્મ નું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.
*કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે."જીવો જીવસ્ય ભોજનમ".સૌ સૌ ના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠર માં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસ ને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.
*પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહ ને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નર ને ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળા માં રહેલા નાના નાના બચ્ચા ને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપ ને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવ ના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમી માં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકા માં એક સાથેજ રહે છે.સર્વાઇવલ નું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળા માં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહ ની જપટ માં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસ ને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહ નું કામ જ નહિ કે આ ભેસ નો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસ ને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસો ના ટોળા નો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસ ને શીંગ મારી મારી ને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જી નો વ્યય કરવો.
*બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારી ને કેટલા મારશે?આફ્રિકા માં ભેસો ની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણ માં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળા માંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.
*તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષ ના એક ટીપા વીર્ય માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નર ના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરત ની નજર માં પ્રાણી જ છે.એટલે માણસ જાત ના નર માં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્ની ની પ્રથા હતીજ.
*તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાક માં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્ય નિયમો તો લાગેજ.પહેલા પણ જે મજબુત નર હોય એનાજ ભાગ માં નારી આવતી હશે.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવ થવા ઝગડવાનું નિવારી,લગ્ન વ્યવસ્થા ની શોધ કરી સહેલાય થી બચ્ચા પેદા કરી શકાય આવું કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે શોધ્યું હશે.મજબુત ના મનમાં લગ્ન વ્યવસ્થાનો વિચાર આવેજ ક્યાંથી?એને તો એની શક્તિ પર વિશ્વાસ હોય.
*મહાભારત ના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધો થી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસા નો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસા નો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.આ ત્રાસવાદીઓને કુદરત ના નિયમ ની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીન માં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.
*ભારત ની વસ્તી ઘટાડવા માટે પ્રજા ની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈ ના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.
*મારા વિચારો કદાચ કોઈની સમજ માં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજી ના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયો ની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.
*આજે દિવ્યભાસ્કર માં ગુજરાત ના પનોતા પુત્ર સામ પિત્રોડા નો વિઝન વિભાગ માં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તી થી આરોગ્ય અને સુખાકારી ના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારત ની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન) ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.
*સર્વાઇવલ ના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે."સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ" એવું ડાર્વિન કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોર નું આ દુનિયા માં કામ નથી.
*દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા,માં ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવો માં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.
*એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્ર નો ધર્મ જ કહેવાય.
*પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારત માં તો નાં જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરક માં જવાય.પુરુષ પ્રધાન સમાજ માં દીકરા થી વંશ ચાલે.બીજું કારણ પુરુષ ના જીન્સ વાય ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં નથાય કેમ કે દીકરીમાં વાય હોતા નથી ફક્ત એક્સ જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરી ના જન્મ નું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.
*કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે."જીવો જીવસ્ય ભોજનમ".સૌ સૌ ના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠર માં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસ ને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.
*પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહ ને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નર ને ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળા માં રહેલા નાના નાના બચ્ચા ને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપ ને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવ ના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમી માં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકા માં એક સાથેજ રહે છે.સર્વાઇવલ નું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળા માં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહ ની જપટ માં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસ ને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહ નું કામ જ નહિ કે આ ભેસ નો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસ ને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસો ના ટોળા નો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસ ને શીંગ મારી મારી ને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જી નો વ્યય કરવો.
*બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારી ને કેટલા મારશે?આફ્રિકા માં ભેસો ની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણ માં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળા માંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.
*તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષ ના એક ટીપા વીર્ય માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નર ના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરત ની નજર માં પ્રાણી જ છે.એટલે માણસ જાત ના નર માં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્ની ની પ્રથા હતીજ.
*તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાક માં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્ય નિયમો તો લાગેજ.પહેલા પણ જે મજબુત નર હોય એનાજ ભાગ માં નારી આવતી હશે.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવ થવા ઝગડવાનું નિવારી,લગ્ન વ્યવસ્થા ની શોધ કરી સહેલાય થી બચ્ચા પેદા કરી શકાય આવું કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે શોધ્યું હશે.મજબુત ના મનમાં લગ્ન વ્યવસ્થાનો વિચાર આવેજ ક્યાંથી?એને તો એની શક્તિ પર વિશ્વાસ હોય.
*મહાભારત ના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધો થી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસા નો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસા નો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.આ ત્રાસવાદીઓને કુદરત ના નિયમ ની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીન માં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.
*ભારત ની વસ્તી ઘટાડવા માટે પ્રજા ની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈ ના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.
*મારા વિચારો કદાચ કોઈની સમજ માં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજી ના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયો ની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.
સોમવાર, 30 નવેમ્બર, 2009
અફીણીયુ ચીન.
વરસો પહેલા ચીન સાવ કંગાળ હતું.આપણે એક બીજા ને સામે મળીએ ત્યારે કેમ છો? મજામાં છો એમ પૂછીએ છીએ.જયારે ચીન માં લોકો એકબીજાની સામે મળે ત્યારે ચોખા ખાધા?એમ પૂછતાં હતા.ચોખા ખાવાના નસીબ પણ નહોતા.ચોખા ખાવા મળે તો ભગવાન મળ્યા.વાયા હોગકોગ બ્રિટીશરોએ ચીન માં અફીણ નો જબરદસ્ત વેપાર શરુ કરેલો.આખું ચીન અફીણ ખાઈને મસ્ત રહેતું હતું,ચીન અફીણીયુ એમ કહેવાતું.લોકો આળસુ બની ચુક્યા હતા.કોઈ ઝેર વેચે,કોઈ લાડવા,શું ખરીદવું એ તમારે પસંદ કરવાનું છે.બે ચાર વરસના બાળકને રાજા,સમ્રાટ બનાવેલો રાજવંશ નો હતો.એના સંડાશ ને સોના ની વાટકી માં લઈને સુંઘીને રાજા ના દરબારીઓ સ્વર્ગ નો આનંદ માનતા.એવું આ ચીન હતું આપણા થી પણ ગયેલું.બાળક રાજા જુવાન થયો ને એકી સાથે બે સ્ત્રીઓ સાથે પરણાવ્યો,રીવાજ હતો.પછી ક્રાંતિ થઇ રાજા ભાગ્યો પરદેશ.જાપાન ની સહાય લઇ પ્રયત્ન કરી જોયો પણ જાપાન ખુદ વિશ્વ યુદ્ધ માં હારી ગયું.રાજા ગયો દેશદ્રોહ ના આરોપ માં જેલમાં.માઓ આવ્યા ને ચીન જાગ્યું. માઓ એ સુત્ર આપ્યું રીલીજન ઇજ પોઈજન.ધર્મ એક અફીણ છે.આજે ચીન ક્યાં છે?અમેરિકાનો પણ પનો ટૂંકો પડે છે.રાજકારણ માં કોઈ પણ ધર્મો ની ડખલ ના જોઈએ.બધા પોતપોતાના ધર્મો પાળે પણ કાયદા કાનુન ને વહીવટીય ક્ષેત્રો માં ધર્મ ની ડખલ ના હોવી જોઈએ.જે ધર્મ તમને બહાદુર બનાવે એની સરાહના કરો.કોઈ કહેશે પાછો ધર્મ ક્યાં આવ્યો વચમાં?૧૭ મી સદીમાં આપણે અંગ્રેજોના ગુલામ બન્યા,અને એજ ૧૭ મી સદીમાં અમેરિકા એ અંગ્રેજોની ગુલામી ફગાવી દીધી.આપણે ફક્ત ગાંધીજીનેજ રાષ્ટ્ર પિતા માન્યા.બીજા જે લોકોએ બલિદાનો આપ્યા એ બધા ગયા ભાડમાં.અમેરિકા એ એક નહિ ઘણા બધાને ફાઉન્ડર ફાધર માન્યા,જ્યોર્જ વોશીન્ગ્ટન,જોહન એડમ્સ,બેન્જામીન ફ્રેન્કલીન.આ બધા એ નક્કી કરેલું કે આ દેશ નું ભલું ચાહવું હોય તો રાજકીય બાબતોમાં ધર્મ ની , ચર્ચ ની ડખલ ના જોઈએ.એક સમય નું સાવ કંગાળ અને જાતજાતની અંધ માન્યતાઓથી ઘેરાયેલું ચીન આજે ક્યાં પહોચી ગયું છે?અહીતો વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણીયો દુભાઈ જાય છે.નાતો તમે કોઈ રસ્તા વચ્ચેનું મંદિર કે મસ્જીદ હટાવી શકો,નાતો તમે કોઈ ગુનેગાર ને ફાંસી કે સજા આપી શકો,ના તો તમે કોઈ ગેરવાજબી ફતવા જાહેર કરવાવાળાને પકડી શકો,ના તો તમે કોઈ બાળકોના બલી ચડાવનારા ગુરુ ને સજા કરી શકો.લોકો રસ્તા પર ઉતરી આવે, પોલીસ સુધ્ધાને ઝૂડી નાખે.આજ બહાદુરો કોઈ આંતકવાદી કે કોમવાદી આંતક ફેલાવવા આવે ત્યારે પૂંછડી દબાવીને ભાગી જાય.પાછો દોષ બીજાને દેવાનો,કે ચીન નાલાયક છે,પાકિસ્તાન આંતકવાદીઓ મોકલે છે,અમેરિકા નકામું છે આપણ ને મદદ કરતુ નથીને પાકિસ્તાન ને પૈસા આપેછે.આભાર માનો અમેરિકાનો કે હેડલી ને રાણા એફ બી આઈ એ પકડી લીધા.નહીતો ૨૬/૧૧ ની વરસીએ બીજા કેટલાય નિર્દોષો માર્યા ગયા હોત.જર્મની એ રાજ રમત રમીને મ્યુનિક ઓલોમ્પિક માં ઈઝરાઈલ ના ખેલાડીઓને મારનારા અરબ ત્રાસવાદીઓને છોડી દીધેલા.એ બધા પોતાના દેશ માં હીરો બની ગયેલા.મોસાદે(જાસુસી સંસ્થા) કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કર્યા વગર ગુપચુપ દરેકે દરેક કવાત્રાબજોને અને એમાં સંડોવાયેલા ત્રાસવાદીને વીણી વીણી ને આફ્રિકા ને સાઉથ અમેરિકાના નાના નાના દેશોમાં છુપાઈ ને રહેતા હતા ત્યાંથી શોધી શોધીને મારી નાખ્યા.એવી ખુમારી જોઈએ.આ ઈઝરાઈલ નો પ્રદેશ કેટલો?ફક્ત આપણા કચ્છ જેટલો.
ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે છે.
આપણે હમેશા બીજા ને દોષ દેવામાં ચબરાક છીએ.આપણ ને આપણા દોષ દેખાતા નથી.બીજા ને દોષ દઈને આપણી નબળાઈઓ ઢાંકવાની આદત પડી ગઈ છે.યુદ્ધ થાય તો ચીન ને આપણે ના હરાવી શકીએ એ કડવી હકીકત છે.પાકિસ્તાન પાસે આપણા કરતા વધારે પરમાણુ બોમ્બ છે.ઓબામાં ચીન ને વધારે મહત્વ આપે ને મનમોહન ને કે ભારત ને આપે એમાં ઓબામાં નો શું દોષ?જે વધારે કામ નો હોય ને મજબુત હોય એની પાસે સૌકોઈ જાય એ સીધીસાદી વાત છે.તમારામાં પાણી ના હોય તો કોઈ શું કરે?એમાં ઓબામાને ખરાબ ચીતરીને ભારતની કમજોરી ઢાંકવાનો પ્રયાસ બેવકૂફી જ છે.તમને મજબુત બળવાન થતા કોણે રોક્યા છે?ચીન સમજી ગયું કોઈને કગરવા નથી ગયું ને આપબળે બધી રીતે મજબુત થવા લાગ્યું તો સૌકોઈ એના ભણી જોવાના જ છે.સમર્થ કો નહિ દોષ ગુસાઇ.ચીન નબળું હોત તો તિબેટ ચીન નો ભાગ છે એવું ઓબામાં કે કોઈ ના કહેત.તમે બળવાન હોત તો સૌ કોઈ કાશ્મીર તમારું જ છે એમ કહેત. તમે જાતે મજબુત થવા લાગો ઓબમાતો શું ચીન પણ તમને મદદ કરવા દોડી આવશે.ઢીલા માણસ ને બધા પજવે બળવાન ને પજવવા થી સૌ દુર ભાગે અને ઉલટાનું મસ્કા મારે.આપણે ફક્ત ડહાપણ ની વાતો કરવામાં મશહુર છીએ.શરુ થી જ આ ચાલતું આવ્યું છે.મુસલમાનો આપણાં પર ચડી આવ્યા.તો તમને સામનો કરતા કોણે રોક્યા હતા?અંગ્રેજો રાજ કરી ગયા તો તમને કોઈએ ના પડી હતી કે સામા ના થસો.ગુજરાત જેવડું ઇંગ્લેન્ડ અને મુઠ્ઠી ભર અંગ્રેજો રાજ કરી ગયા એમાં અંગ્રેજોનો શું વાંક?તમે તો દુનિયા ની સૌથી ડાહ્યી પ્રજા છો.સર્વઇવલ ના યુદ્ધ માં જે મજબુત હોય તે રાજ કરે નબળો હોય તે મરે એ કુદરત નો નિયમ ભારત માટે જુદો થોડો હોય?કુદરત માટે બધા સરખા છે.આપણે અંગ્રેજોના ગુલામ બન્યા એ સદી માં તો અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુક્યા હતા.એતો અંગ્રેજો નો પથારો બહુ લાંબો થઇ ગયો હતો,લગભગ આખી દુનિયામાં,ને અંગ્રેજોનું રાજ એના જ ભાર થી તુટવા લાગ્યું હતું એટલે તમારા સત્યાગ્રહ ને અહિંસા કામ કરી ગઈ.મક્કા મદીના થી આખી દુનિયા ને મુસલમાન બનાવવાની જેહાદ શરુ થઇ,ઈરાન,તુર્કી નબળા હતા તે ગયા.બધા યુરોપના દેશો એક થઈને ધર્મયુધ્ધો કૃઝેડસ લડ્યા ને વિયેના માં ૯/૧૧ ના દિવસે પ્રથમ હાર થઇ. જેહાદ અટકી.લોકો સમજે છે કે અમરિકાનો ઈમરજન્સી નંબર ૯/૧૧ છે,એટલે લાદેને એ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ને તોડ્યા.એવું નથીજ વિયેના માં એ દિવસે હારેલા ને અટકી ગયેલી જેહાદ ફરી એ દિવસે શરુ થઇ છે. તમે નબળા પડ્યા તો ગયા,એ કુદરત નો નિયમ છે.ચીન બળવાન ને મુઘલો ના ધાડા રોકવા મશહુર દીવાલ બનાવી દીધી,ને બચી ગયું..મહંમદ ગઝની કેટલી વાર સોમનાથ લુટી ગયો?હજારો બ્રાહ્મણો શિવજી નું ત્રીજું નેત્ર ખુલવાની રાહ જોતા લિંગ ને લપેટાઈ ને મરી ગયા પણ કોઈએ તલવાર ના ખેચી.શિવજી કોઈ વ્યક્તિ નથી ને એમનું લિંગ એ મેલ જેનેટલ સર્જન નું પ્રતિક માત્ર છે.એ કઈ રીતે લડવાનું હતું કે ત્રીજું નેત્ર ખોલવાનું હતું?પણ આવા મુર્ખ ખયાલો ને અહીન્સકો ની આજ્ઞા પાળતા કમજોર નબળા સોલંકી રાજાઓ કોઈ એ પ્રતિકાર ના કર્યો.થોડા બહાદુર રાજપૂતોને લઈને ફક્ત ને ફક્ત મરવા માટે જ ભાવનગર ના કુંવર હમીરજી નીકળ્યા ને બધા માર્યા ગયા.હજુ આપણી મેંનટાલીટી એની એજ છે.હજુ આપણે કોઈ સાથ આપે એનીજ રાહ જોઈએ છીએ.અમરિકા સહારો આપે કે રશિયા સહારો આપે તો ઉંધા વળી જઈશું,ને બધાને ચીન કે પાકિસ્તાન ને ચપટીમાં ચોળી નાખીશું ની ડમફાસો મારીએ છીએ.પણ જાતે મજબુત કે બળવાન થવાનો વિચાર સુધ્ધા નથી આવતો.પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી ૩૧ કરોડ ખર્ચી જે દેશ આખાનો ગુનેગાર છે જેણે નિર્દોષ પ્રજાને બહાદુર અફસરોને માર્યા છે,એ કસાબ ને સાચવી રાખવામાં કઈ વિદેશનીતિ કે દુરન્દેશી સરકાર રાખતી હશે?એક અફજલ કે કસાબ ને સજા કરતા કોણ ના પડે છે?પાકિસ્તાન,અમેરિકા કે ચીન?કમજોર ને કોણ ભાઈબાપલા કરે?ચીન આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કહેવાયું. ભારત આગળ અમેરિકાનો પનો ટૂંકો પડે એવું કરતા કોઈએ રોકી રાખ્યા છે? તમે ચીન ની જેમ બળવાન થસો તો એવું પણ લખી શકશો.ચીન,પાકિસ્તાન કે અમેરિકા કોઈને દોષ દીધા વગર તમારું ઘર મજબુત કરો તો બધા તમારી આગળ પૂછડી પટપટાવસે,નહીતો બચકાં ભરશે.
શનિવાર, 21 નવેમ્બર, 2009
મુસ્લિમોનો કટ્ટરતાવાદ
જેહાદીઓ,જેહાદ માંથી પાછા વળેલાઓ,અને બીજા એક્સપર્ટ લોકોના ઇન્ટરવ્યું ટીવી માં જોયા પછી લખવાનું મન થાય છે..૯-૧૧ એ અમેરિકા નો ઈમરજન્સી નંબર છે.ગમેત્યારે કોઈ પણ ફોન પરથી આખા અમેરિકા માં ૯-૧૧ દબાવો એટલે પોલીસ હાજર થઇ જાય.૯-૧૧ બટન દબાવી કશી પણ વાત કાર્ય વગર મૂકી દો તો પણ પોલીસ આધુનિક ટેકનોલોજી ના પ્રતાપે હાજર થઇ જાય.એટલે લોકોના મન માં એવી ગેરમાન્યતા છે કે બિન લાદેને ૯-૧૧ એટલે સપ્ટેમ્બર ૧૧ ના દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા કર્યા.પણ હકીકત માં એવું નથી.ઇસ્લામ ના ઉદય પછી આખી દુનિયાને મુસ્લિમ બનાવવા એમના ધાડા નીકળી પડ્યા.મિડલ ઇસ્ટ કવર કર્યા પછી,યુરોપ તરફ નીકળી પડ્યા.બીન મુસ્લિમ માટે ફક્ત બેજ રસ્તા છે,એક તો ધર્મ પરિવર્તન કરો યા મુસ્લિમ ના હાથે મોત ને પામો.ઇસ્લામ નો અર્થ શાંતિ છે,પણ ક્યારે ?જયારે આખી દુનિયા મુસ્લિમ થઇ જાય પછી.મુસ્લિમ કોઈ ને મારે,ધર્મ પરિવર્તન કરાવે અથવા સફળ ના થાય અને મરી જાય,ત્રણે વાતે એને સ્વર્ગ જ મળવાનું છે.જેહાદ શરુ થઇ ચુકી હતી આખી દુનિયા ને મુસ્લિમ માં પરિવર્તન કરવાની.યુરોપિયન લોકોએ જબરદસ્ત જવાબ આપવાનું શરુ કર્યું.કૃઝેડસ શરુ થયા.ધર્મયુધ્ધો શરુ કર્યા યુરોપિયન લોકોએ બધા એક થઈને.મુસ્લિમોની જેહાદ ની પહેલી હાર થઇ વિએનામાં સપ્ટેમ્બર ની ૧૧ તારીખે.૯-૧૧ ના દિવસે અટકેલી જેહાદ બીન લાદેને ફરી શરુ કરી ૯-૧૧ ના દિવસે અમેરિકા ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને.દુનિયા ના ખૂણે ખૂણે ઇસ્લામ ના ફેલાવાનો હક એમને મળેલો છે.આજની ધર્માન્ધતા કે કટ્ટરતા નો સવાલ જ નથી આતો એનો ઉદય થયો ત્યારની વાત છે.ફક્ત ચાન્સ ની રાહ જોવાય છે. જયારે ધર્મ ખુદ જ એવું કહેતો હોય કે મુસ્લિમ સિવાય ના બધા કાફિર છે,અનેકાફિર માટે ધર્મ પરિવર્તન અથવા મોત એમ બેજ રસ્તા છે,ત્યારે કટ્ટરતા વાદ દુર કરવાના ઉપાયો સોચવા કે સલાહ આપવી મૂર્ખતા જ છે.આ કટ્ટરતા વાદ નથી આતો ધર્મ જ છે.તમારે આમાંથી બચવું કે મરવું એ તમારે સોચવાનું છે.તમે નબળા પડો એની ફક્ત રાહ જ જોવાય છે. કેટલાક ચોખલિયા એમ.જે.અકબર જેવા મુસ્લિમો અને આપણા વડીલ પત્રકારો કહે છે કે ગરીબી,પછાતપણું અને અનએજ્યુકેશન આ લોકોને કટ્ટરતાવાદ ભણી ધકેલે છે.એમને ખબર નથી સિવિલ એન્જીનીઅર અને અબજોપતિ બીન લાદેન જેટલો કોઈ કટ્ટર હશે ખરો?
બુધવાર, 18 નવેમ્બર, 2009
મંત્ર જપવાથી શું બુદ્ધી વધે?
માનવીનું બ્રેન બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા હશે.આખા શરીર નું કંટ્રોલ બ્રેન અને તેના મોકલેલ કેમિકલ મેસેજ દ્વારા થતું હોય છે.બ્રેન ના જુદા જુદા વિભાગો જાતજાતના કામ કરતા હોય છે.ડાબોડી લોકોનું જમણું બ્રેન વધારે કામ કરતુ હોય છે,એમજ જમણા હાથે કામ કરનારા લોકોનું ડાબું બ્રેન વધારે એક્ટીવ હોય છે.આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો.જન્મ થી દસ વર્ષ સુધી એને મેન્ટલી રીટારડેડ સમજવામાં આવ્યો હતો.એ બોલી પણ ના શકતો.એનું બ્રેન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું.ચાલી પણના શકતો.એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા,જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો.ના તો એણે કોઈ મંત્રો જપ્યા હતા,નાતો કોઈ શ્રી યંત્ર ની પૂજા કરી હતી.સેરેબ્રલ પાલ્સી નો એ શિકાર હતો.બ્રેન નો એ વિભાગ શરીર નું બેલેન્સ જાળવવાનું કામ કરે છે.મહાન વૈજ્ઞાનિક ન્યુટન ની કેબીન માં બેસતો આવોજ લકવા ગ્રસ્ત વૈજ્ઞાનિક સ્ટીવન હોકિન્સ એની બિંગ બેંગ થીઅરી માટે જાણીતો છે.એના વિષે લખવું એ નાના મોઢે મોટી વાત જેવું થશે.શ્રી યંત્રો ની પૂજા કરવાથી કે બુદ્ધી માંગતા મંત્રો જપવાથી કશું ના વળે.બ્રેન ને એક્ટીવ રાખવું પડે ,ગહન અભ્યાસ કરવો પડે,ચિંતન કરવું પડે.તમે કોઈ ધંધો કે નોકરી ના કરોતો શ્રી યંત્ર ની સતત પૂજા પણ પૈસા ના આપે.ના તો તમારો માનસિક વિકાસ થાય.આપણે મંત્રો જપવામાજ રહી ગયા.જુના જમાનાના ઋષીઓ આવા નહતા.એ લોકોએ જાતજાતના સિદ્ધાન્તોની શોધો કરી છે.સતત મંત્ર જપવાથી એ મંત્ર તમારા સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર થઇ જાય,બીજું શું થાય?તમને ઊંઘ માં પણ કોઈ પૂછે તો તમે રટી જાવ ભૂલ ના થાય,બીજું શું ?બ્રેન ની આજ કારીગરી નો ઉપયોગ જુના ગ્રંથોને સાચવવામાં કરવામાં આવેલો.છાપકામ(પ્રિન્ટીંગ) વિદ્યા અહી ના હતી.લખવાનું બહુ પાછળથી આવ્યું.કાગળ ને પ્રિન્ટીંગ ચીનાઓની શોધ છે.હજારો વર્ષોથી ,હજારો ગ્રંથો ફક્ત કંઠસ્થ રાખીને સાચવેલા છે. આખાને આખા ગ્રંથો પેઢી દર પેઢી સતત રટણ કરી ને,જપીને સબ કોન્શીયાશ માઈન્ડ માં સ્ટોર કરીને સાચવેલા છે.એમાંથી જ કદાચ જપ જપવાનું ચાલુ થયું હશે.દા.ત.ગાયત્રી મંત્ર માં ભગવાન સૂર્યનારાયણ પાસે બુદ્ધી માગી છે.હવે આ મંત્ર સતત જાપો તો એ મંત્ર ગોખાઈ જાય.તમારા બ્રેન માં સ્ટોર થઇ જાય,એના થી આઈનસ્ટૈન ની થીઅરી ઓફ રીલેટીવીટી કઈ રીતે સમજાઈ જાય?એના માટે તમારે એ થીઅરી નોજ અભ્યાસ કરવો પડે.આઈનસ્ટૈન ને કોઈ દિવસ ગાયત્રી મંત્ર જપતા જાણ્યા નથી.બુદ્ધી માગવાથી થોડી મળી જાય,એના માટે સતત અભ્યાસ કરવો પડે.હજારો વર્ષો થી ગાયત્રી મંત્ર જપતા આપણે પાછળ કેમ પડ્યા?જે તે વિષય નું જ્ઞાન મેળવવા જેતે વિષય માં ખુંપી જવું પડે.મહામુલા ગ્રંથોને પ્રિન્ટીંગ ના જ્ઞાન ના અભાવે સતત જપીને,કંઠસ્થ રાખીને જીવતા રાખવા ના પ્રયત્નો માં આપણે સફળ થયા પણ એમાં જ આપણે દિશા ચાતરી ગયા ને મંત્રો જપી જપીને બુદ્ધી મળી જશે,ધન મળી જશે,જાતજાતની વિદ્યા મળી જશે એવું વિચારી બુદ્ધિહીન બની ફક્ત અને ફક્ત ગોખણીયા જ બની ગયા.બાકી દુનિયા થી પાછળ પડી ગયા.દુનિયા ને શૂન્ય ની સાથે મેથ્સ,યોગ,આયુર્વેદ,કામસૂત્ર,કોટન કપડાને કલર કરવાનું જ્ઞાન , સ્ટેઈનલેસસ્ટીલ જેવું ધાતુ વિજ્ઞાન અને અદ્વેતવાદ(લો ઓફ સીગ્યુલારીટી) જેવો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપવા વાળા આપણે પછાત રહી ગયા.ચરક ફીઝીશ્યન હતા,શુશ્રુત સર્જન હતા,કપાળ માંથી ચામડી લઈને યુદ્ધ માં તૂટેલા નાક ની પ્લાસ્ટિક સર્જરી કરતા હતા.એમણે જે સર્જન મેન્યુઅલ લખ્યું છે એ આજે પણ સર્જનો પાળે છે.વાળ ના બે ભાગ કરે તેવા સાધનો હતા એમની પાસે એવું સાભળ્યું છે.આ બધું મારા ઘરનું નથી લખતો,"પ્રાચીન લોકોએ દુનિયા ને શું આપ્યું? (ઇન્ડિયન્સ)", એવી એક ધોળી ચામડી વાળાએ બનાવેલ ડોક્યુમેન્ટ્રી જોઈ હતી.ઘણું બધું હતું એમાં ભારતે દુનિયા ને આપેલ,આતો થોડા દાખલા જ આપ્યા છે. ક્યાં ભૂલ થઇ આપણી?કેમ પાછળ પડી ગયા? પી એમ રૂમ,સ્મશાન ગૃહ,લેબર રૂમ બધામાંથી મરેલા માનવ અંગોનો તંત્ર મંત્ર માં ઉપયોગ કરવા વેપાર થાય છે જાણી શરમ આવે છે.શ્રી યંત્ર ની પૂજા કરીને કોઈને ધન કમાવું છે કે કોઈને ગાયત્રી મંત્ર જાપીને બુદ્ધી મેળવવી છે,કોઈને ગુરુઓના આશીર્વાદ કે ધબ્બા ખાઈને સુખી થવું છે,કે કોઈને જીભ ચડાવી માનતા પૂરી કરવી છે, કે કોઈને મરેલા માનવના અંગોની પૂજા કરીને ઇચ્છાઓ પૂરી કરવી છે,એક પોતાની જીભ કાપે છે,બીજો બીજા ના અંગ વાપરે છે,બધાને વિના પ્રયત્ને,સહેલાય થી બધું મેળવી લેવું છે.બ્રેન માં રહેલી મહાન શક્તિઓનો કોઈને ઉપયોગ કરવો નથી.હાથમાં માળા લઈને સતત મંત્રો જપતા બાવાઓની બુદ્ધીહીનતા શું નથી દેખાતી?એક મંત્ર સારી રીતે બ્રેન માં સ્ટોર થઇ જાય પછી એને સતત જપવાનો શો અર્થ? કોઈ મેડીકલ studant કે ડોક્ટર કોઈ રોગ ની દવા યાદ કરીલે કે ગોખીલે પછી? રોજ હાથમાં માળા લઈને ક્રોસીન ક્રોસીન કે બ્રુફેન બ્રુફેન જપ્યા કરે તો?ગાંડો જ લાગશે.નાતો મંત્રો જપવાથી કે નાતો યંત્રોની પૂજા કરવાથી,ધન મળે કે બુદ્ધી વધે.ધન મળે ધંધો પાણી કે જોબ કરવાથી અને બુદ્ધી વધે અભ્યાસ કરવાથી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)

