Pages

Wednesday, December 30, 2009

ભ્રષ્ટાચારની રાઠોડબ્રાન્ડ જુગલબંધી - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

ભ્રષ્ટાચારની રાઠોડબ્રાન્ડ જુગલબંધી - Divya Bhaskar Daily Gujarati News Paper Ahmedabad Surat Baroda Rajkot News Gujarat Mumbai

Wednesday, December 23, 2009

અસ્તિત્વ માટેની મથામણ.

*એક વખત ભગવાન શિવજી ને માતા પાર્વતીએ પૂછ્યું કે ભગવાન આ જગત નું રહસ્ય શું છે?આપનું અને મારું રહસ્ય શું છે?આ જગત ની ઉત્તપતી ક્યારે થઇ?એનો અંત ક્યારે થશે?એક સામટા ડઝન બંધ સવાલો પૂછી નાખ્યા.ભગવાન શંકરે કોઈ પણ પ્રકાર નું તત્વ ચિન્તન કે ફિલોસોફી ઝાડ્યા વગર શરૂઆત કરીકે ,તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસ ના કેન્દ્ર માં સ્થિત થઇ જાવ,શ્વાસ અને ઉચ્છશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે આવેલા આજ્ઞાચક્ર ઉપર સ્થિત થઇ જાવ.આવી રીતે ભગવાન બોલતા ગયા.ના કોઈ ફિલોસોફી ના કોઈ તત્વ જ્ઞાન.સીધા રસ્તા જ બતાવી દીધા.પરિણામ ની પણ કોઈ ચર્ચા નહિ.બસ આમ કરો,તેમ કરો.વિધિ બતાવી દીધી જગત નું રહસ્ય પામવાની.એક નહિ ૧૧૨ વિધિઓ બતાવી.એમાંની એક વિધિ બતાવી કે આ જગત,સંસાર સતત પરિવર્તનશીલ છે,પરિવર્તન ને પરિવર્તન થી જાણો.


, * કુદરત ના કેટલાક સામાન્ય નિયમો માં અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ પણ મહત્વ ની છે.સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ ની સાથે સ્ટ્રગલ ફોર એકઝીસસ્ટન્સ પણ એટલુજ જરૂરી છે.૪૦ વર્ષ પહેલા બે કાઠી દરબારોને શાળા માં શિક્ષક તરકે જોઈ ને શ્રી યશવંત ઠક્કર સાહેબ ને નવાઈ લાગેલી.કારણ કે કાઠી દરબારો ને એમણે ફક્ત ઘોડા ખેલવતા અને એકાદ હથિયાર સમેત જ જોએલા.હવે જાગીરી તો ગઈ.ભારત આઝાદ થયું ને બધું એકદમ બદલાઈ ગયું.રાજ ગયા,ગામ ગિરાસ પણ ગયા.અસ્તિત્વ ટકાવવું હોય તો કશું બીજું વિચારવું જ પડે.નહીતો પછી ગયા.કુદરત તો કોઈને છોડતી જ નથી.ના તો હવે પહેલા ના જેવી વર્ણ વ્યવસ્થા રહી છે.જે ને જે ફાવે તે કામ કરવાની છૂટ છે.એટલે મોટા ભાગ ના દરબારો કાતો પોલીસ કે મીલીટરી કે પછી જે ફાવે તે કામ માં જોતરાઈ ગયા.ખેતી પણ વાવે તેનું ખેતર એ કાયદે ખેડૂતો પાસે જતી રહી.સૌથી વધારે તકલીફ થઇ હોય તો ક્ષત્રિયો ને.કારણ બ્રાહ્મણો પાસે તો એમનો કર્મકાંડ ને શાળાઓ હતી.ખેડૂતો ને જમીનો મળી ગઈ ને પછાત વર્ગ ને સ્પેશીયલ કાયદાનું રક્ષણ મળ્યું.છતાં એમની પણ હાલત ખરાબ તો હતીજ.એક તો ક્ષત્રિઓ ને કશું બીજું આવડે નહિ.સત્તા એકદમ છીનવાઈ ગઈ.છતાં અસ્તિત્વ જાળવવું હોય તો જે આવડે તે કરવું જ પડે.નહીતો પાયમાલ થઇ જવાય.

*સતત પરિવર્તનશીલ જગત માં જે બદલાય તે જ જીવે.ઝેન ધર્મગુરુઓ કહે છે કે એકજ નદીમાં તમે ફરી પગ કદી મૂકી શકો નહિ.કેમ કે તમે પગ ઉઠાવી ને નદી માં આગળ મુકો ત્યાં સુધીમાં નીચે કેટલુંય પાણી વહી ગયું હોય છે.એટલે કે આજગત સતત ચાલતુજ આવ્યું છે.હા કદાચ કોઈ ની ઝડપ ધીરી હોય તો તમને થોડી વાર સ્થિર લાગે.પણ કશું સ્થિર હોતું નથી.એટલે જો તમે પણ આ જગત ની સાથે ચાલો નહિ તો? પાછળ પડી જવાના. જેતે સમયે જરૂરત મુજબ રીવાજો બન્યા હોય છે.હવે જયારે સમય બદલાય તેમ જુના રીવાજો ની જરૂરત ના રહે એટલે બદલાવાનાં.પહેલા ખેતી ઉત્તમ,મધ્યમ વેપાર અને કનિષ્ટ નોકરી એવું કહેવાતું.હવે નોકરી ઉત્તમ થઇ ગયી.કોઈ જોખમ તો નહિ.ખેતી માં જોખમ છે.સરખું પાકે તો પાકે નહિ તો કાઈ નહિ.જયારે વેપાર માં સાહસ અને મૂડી જોઈએ.નોકરી માટે થોડી કાબેલિયત અને સારું ભણતર હોય એટલે પત્યું.હવે ઘોડા ની જગ્યાએ મોટર બાઈક આવી ગયી,હવે કાઠી તો ઠીક બધાજ આ મોર્ડન ઘોડા ખેલવતા થઇ ગયા છે.પ્રજા માં સાહસ વૃત્તિ ઓછી થઇ ગયી છે એટલે સલામત લાગતી નોકરી પાછળ બધા દોડે છે.અને એમાં પણ ભારતમાં નોકરી માં ખુબજ સલામતી છે.બધા ને સહેલું જોઈએ છે.તકલીફ કે ટેન્સન કોઈને વેઠવું નથી.એક ભજીયા ની લારી ધરાવતા ને પણ થોડું કમાય તો એના છોકરા ને સારું ભણાવી નોકરીમાં જોતરી દેવો છે.

*આ બધી અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે.એમાં કશું જ ખોટું નથી.ડો,બાબાસાહેબ આંબેડકર હતા તો કહેવાતા શુદ્ર વર્ણ ના પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમનામાં રહેલું હીર જોયું.ને બનાવ્યા વડોદરા ના કલેકટર.હવે બુદ્ધિમત્તા નો ઈજારો બ્રાહ્મણો પાસે તો રહ્યો નથી.હવે એમનો બ્રાહ્મણ પટાવાળો જયારે એમની પાસે થી કોઈ કાગળ કે બીજું કઈ લઇ જવાનું હોય તો પ્રથમ પાણી છાંટી ને હાથ માં લે.જતે દિવસે આજ બાબાસાહેબ ભારતના બંધારણ ના ઘડવૈયા બન્યા.ટૂંક માં કામ ધંધા ની બાબત માં વર્ણ વ્યવસ્થા રહી નથી.કે બ્રાહ્મણ જ વિદ્યા આપે કે ક્ષત્રિય જ લડવા જાય.આખી મહાર રેજીમેન્ટ છે.જે કહેવાતા મહારાષ્ટ્ર ના શુદ્રો ની છે.હવે તો પોલીસ ખાતા માં પણ ક્ષત્રિયો નો ઈજારો રહ્યો નથી.

*એક વાર એક વહોરાજી મળ્યા વડોદરામાં.થોડી ચર્ચા ચાલી,એ કહે ખીલજી ના જમાનામાં ગુજરાત ના બ્રાહ્મણો વટલઈને વહોરા થએલા ત્યારે એક સામુહિક ધર્મ પરિવર્તન ના પ્રસંગે જે જનોઈ બધા બ્રાહ્મણોએ ઉતારેલી એનું વજન એક હજાર મણ થએલું.વહોરા કોમ વેપારી અને મૃદુ હોય છે.અસ્તિત્વ માટેની મથામણ નો એક સહેલો પણ કાયર ઉપાય.પાકિસ્તાન ના સ્થાપક મહમદ અલી જિન્નાહ ના વડવાઓ વૈષ્ણવ હતા,જિન્નાહ ના દાદી છાનામાના ઘરમાં શ્રીનાથજી ની પુંજા કરતા હતા.

*આપણે અંગ્રેજોના ગુલામ થયા એ સદીમાં અમેરિકનોએ બંદુકો ખેચી ને અંગ્રેજોને ભગાડી મુકેલા,યુરોપ ના બધા દેશો એક થઇ ને કૃઝેડ્સ(ધર્મ યુદ્ધો) લડેલા ને યુરોપ ને મુસ્લીમોના હુમલાઓ થી બચાવેલું.અસ્તિત્વ માટેની મથામણ નો ડેન્જરસ ઉપાય.

*ઈરાન થી થોડા પારસીઓ ભરેલું વહાણ સંજાણ બંદરે આવે છે,અને વર્ષો પછી આજે પણ પારસીઓ સવાયા ગુજરાતી બની એમની ઓળખ જાળવી રાખે છે.અસ્તિત્વ માટેની મથામણ નો ડહાપણ ભર્યો પણ બહાદુર ઉપાય.

*વાઈલ્ડ બીસ્ટ ના ટોળે ટોળાં પણ એકાદ સિંહ કે દીપડા થી પોતાનો બચાવ કરી સકતા નથી,ત્યારે એમની વસ્તી ખુબજ વધે છે,જેથી આ જાત ખતમ ના થઇ જાય.એ અસ્તિત્વ માટેની મથામણ નો કુદરતે ગોઠવેલો સહેલો ઉપાય,એમાં ભારત પણ આવી જાય.

* દેશ,સમાજ,સંસ્કૃતિ,ભાષા બધું સમયાંતરે બદલાતું જતું હોય છે.મૂળ તો આર્યો મધ્ય એશિયા થી આવ્યા.તુર્ક્મેનીન્સ્તાન માં એના પુરાવા મળ્યા છે.પ્રથમ સ્વાત(સુવાસ્તુ) ખીણ એમનું રહેઠાણ બની જે હવે આપણી નથી રહી.તાલીબાનો નો ગઢ બની ગઈ છે. સીધું નદીની સંસ્કૃતિ પરથી હિંદુ બન્યું,એ નદી હવે પાકિસ્તાન માં ગઈ.સોમ રસ પીતા આર્યો,એ હોમાં વનસ્પતિ ભારતનો છોડ નથી.ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ(ઈગલ) ભારતમાં નથી.સંસ્કૃત ભાષા પણ હવે પુસ્તકોમાં રહી ગઈ છે.જૂની ગુજરાતી પણ નવી પેઢીએ વાચી નહિ હોય.મ્હને,તેમ્હને,જેમ્હાણે ખાસ કોઈને યાદ નહિ હોય.જુનો હિંદુ ધર્મ પણ રહ્યો નથી.મોટા ભાગે લોકો માનવા પણ તૈયાર ના થાય.વાત કરીએ તો મૂરખા સમજે.ગાયોની પૂજા કરનારા આ દેશના પૂજ્ય ગણાતા ઋષિ મુનીઓ બીફ ખાતા એ વાત શ્લોકો સાથે લખો તોપણ લોકો માને નહિ.

*સમય સાથે તમે પણ બદલાવ.તોજ તમારું અસ્તિત્વ ટકી શકે.એને માટે જે કરવું પડે તે કરો.પરિવર્તન ને પરિવર્તન થી જાણો.અંદર જતા અને બહાર આવતા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો,બે આંખોની વચ્ચે રહેલા આજ્ઞાચક્ર માં સ્થિત થઇ જાવ,આ જગત નું રહસ્ય તમારા હાથ માં જ છે.અપ્પ દીપો ભવ:,તમારા દીવા પોતે જ બનો.

Sunday, December 20, 2009

સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.

સર્વાઇવલ ના યુદ્ધ માં કમજોર વસ્તી વધારે,,,,,,,,,


*આજે દિવ્યભાસ્કર માં ગુજરાત ના પનોતા પુત્ર સામ પિત્રોડા નો વિઝન વિભાગ માં વસ્તીનો અંત:સ્ફોટ નામનો લેખ વાચ્યો.ઘણી બધી ટેકનીકલ ચર્ચા કરી છે.ખુબ સરસ લેખ છે.વસ્તી ઘટાડવા માટે સ્ત્રી શિક્ષણ જરૂરી છે,લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્નો કરવા પડે,અતિશય વસ્તી થી આરોગ્ય અને સુખાકારી ના સાધનો પર અસર પડે વિગેરે વિગેરે ચર્ચા કરી છે.હવે હું તમને નવા કોન્સેપ્ટ તરફ લઇ જાઉં.ઉત્ક્રાન્તીવાદ,ઇકોલોજી અને ઈવોલ્યુશન તરફ લઇ જાઉં.ભારત ની વસ્તી એક અબજ કરતા વધી ગઈ છે.અને હવે ચીન કરતા પણ આપણે આગળ નીકળી જઈશું.એની ચિંતા આપણા કરતા બીજા દેશો વધારે કરે છે.ચાલો કુદરત(ભગવાન) ના કેટલાક સિમ્પલ નિયમો જાણીએ.

*સર્વાઇવલ ના યુધ્ધમાં જે મજબુત હોય તે જીવે,નબળો,કમજોર હોય તે મરે."સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ" એવું ડાર્વિન કહી ગયો ખુબજ અભ્યાસ પછી. કમજોર નું આ દુનિયા માં કામ નથી.

*દરેક પ્રાણી,એમાં આપણે પણ આવી ગયા,માં ભગવાને કે કુદરતે એવી વૃત્તિ મુકેલી છે કે પોતાની એક પ્રતિકૃતિ પાછળ મુકતા જવું.નહીતો પછી દુનિયા આગળ ચાલે નહિ.અને એના માટે કુદરતે દરેક પ્રાણી,પક્ષી,વનસ્પતિ,જીવ,જંતુ અને બીજા તમામ સજીવો માં સેક્સ મુક્યો.એક છોડ કે વનસ્પતિ પર ફૂલ આવે ને પરાગનયન થઇ ફળ આવે એમાં બીજ હોય એના વડે પછી બીજી વનસ્પતિ પેદા થાય આ સેક્સ જ કહેવાય.દરેકના પ્રજનન તંત્રો જુદા જુદા હોય પણ કામ તો એકજ કરવાનું કે પોતાના જેવું બીજું કૈક પાછળ મુકતા જવાનું.

*એટલે એક તો ખુબજ મજબુત થવાનું,અને બીજું પાછળ એવોજ મજબુત વંશ મુકતા જવાનું.આ બે કામ ચોક્કસ પણે કરવાના એ દરેક પ્રાણી માત્ર નો ધર્મ જ કહેવાય.

*પહેલા વસ્તી ઓછી હતી માટે ઋષીઓ એવા આશીર્વાદ આપતા કે અષ્ટપુત્રાભવ:,હવે ભારત માં તો નાં જ અપાય.બીજી ધાર્મિક માન્યતા હતી કે પાછળ પુત્ર હોવો જોઈએ નહિ તો નરક માં જવાય.પુરુષ પ્રધાન સમાજ માં દીકરા થી વંશ ચાલે.બીજું કારણ પુરુષ ના જીન્સ વાય ક્રોમોઝોમ દ્વારા દીકરામાં ટ્રાન્સફર થાય,દીકરીમાં નથાય કેમ કે દીકરીમાં વાય હોતા નથી ફક્ત એક્સ જ હોય છે.તમે ગર્ભ પરીક્ષણ કરી દીકરીઓને જન્મતા પહેલા મારી ના નાખો તો કુદરત તો દીકરા અને દીકરી ના જન્મ નું પ્રમાણ લગભગ સરખું જાળવી જ રાખે છે.ભારતમાં સરખું નથી,એનું કારણ ભ્રુણ હત્યા છે.

*કુદરતે એક ફૂડ ચેઈન બનાવી છે.એમાં એક જીવ બીજા ને ખાય છે.વનસ્પતિ પણ જીવ જ છે.વનસ્પતિ જમીન માંથી પોષણ મેળવે.આ વનસ્પતિ ખાઈને ઘાસાહારી પ્રાણીઓ મોટા થાય.અને આ પ્રાણીયોને ખાઈ માંસાહારી પ્રાણીઓ જીવે."જીવો જીવસ્ય ભોજનમ".સૌ સૌ ના જઠર પ્રમાણે ખાય છે.સિંહ કે વાઘ હિંસક નથી ફક્ત એમની પાસે ઘાસ પચાવે એવું જઠર જ નથી.ઘાસ પચાવવા માટે જઠર માં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોઈએ.જે ઘાસ ને ખાઈ તોડી નાખે.મતલબ તમને ખાવા માટે કોઈ ટાંપીને બેઠું છેજ.એમાં કોઈ હિસા કે પાપ નથી.ફક્ત તમારે જીવવું હોય તો સામનો કરો કે ભાગો કે કોઈપણ ઉપાય અજમાવો.એ તમારે વિચારવાનું છે.નહિ તો પછી મરો અને કોઈના આહાર બની એને જીવવા દો.

*પાછળ જે પેઢી તમે મુકતા જાવ એમાં શ્રેષ્ઠ જીન્સ ટ્રાન્સફર કરતા જાવ,નબળા ,કમજોર નહિ.નહીતો કાળક્રમે પેઢી ખલાસ થઇ જાય.કેટલાક જાણવા જેવા દાખલા.સિંહ નું એક ફેમીલી હોય છે.એમાં બધી સિંહણો જ હોય,એમના નાના બચ્ચા,કબ હોય છે.કોઈ બીજા મોટા સિંહ ને રહેવા દેવામાં ના આવે મારીને કાઢી મુકાય છે.બીજા સિંહ જે એકલા ફરતા હોય એ અવારનવાર પ્રયત્નો કરતા હોય છે આં ટોળાનો કબજો લેવા,પણ ટોળાનો બોસ લડીને કાઢી મૂકતો હોય છે. હવે આ સિંહ ઘરડો થાય કે કમજોર પડે એટલે પેલા જુવાન સિંહ પાછા હુમલો કરે અને કમજોર નર ને ભગાડી મારી તગેડી મુકે.હવે કબજો જમાવ્યા પછી પહેલું કામ શું કરશે?તમને નવાઇ લાગશે,ક્રુરતા લાગશે,પહેલું કામ ટોળા માં રહેલા નાના નાના બચ્ચા ને મારી નાખશે.કેમ?કેમકે આ બચ્ચાઓના કમજોર બાપ ને મારી કાઢી મુક્યો હવે એના જીન્સ ના જોઈએ,અને બીજું પારકા જીન્સ હું ના ઉછેરું મારા પોતાના મજબુત જીન્સ કેમ ના ઉછેરું?બીજું જ્યાં સુધી બચ્ચા માંને ધાવતા હોય ત્યાં સુધી એ સિંહણ હીટ માં નાઆવે.ગર્ભવતી ના થાય.હવે જે બચ્ચાઓને બચાવવા જીવ ના જોખમે પેલા સિંહ જોડે લડી હોય છે એજ સિંહણ બચ્ચા મરી જતા ગરમી માં આવી એજ સિંહ જોડે પ્રેમાલાપ કરી ગર્ભવતી બને છે.બીજો દાખલો સિંહોના ટોળા અને જંગલી ભેસોના ટોળા આફ્રિકા માં એક સાથેજ રહે છે.સર્વાઇવલ નું યુદ્ધ રોજ ચાલે છે.આ ભેસો હમેશા એક ટોળા માં રહે.એ લોકોએ સર્વાઇવલ થવા માટે તરકીબો શોધી કાઢી છે.નાના બચ્ચા હમેશાં વચ્ચે જ રહે.અને ભાગતી વખતે કોઈ પાછળ રહી જાય અને સિંહ ની જપટ માં આવી જાય તો આખું ટોળું જે ભાગતું હતું તે અચાનક પાછું વળી સિંહો પર હુમલો કરી,પડી ગયેલી ભેસ ને શીંગ મારી ઉઠાડી એમની સાથે ફરી ભાગવા મજબુર કરે.એક કે બે સિંહ નું કામ જ નહિ કે આ ભેસ નો શિકાર કરે.કમસેકમ સાત થી આઠ સિંહ વળગે તોજ શિકાર થાય.હવે ઘાયલ ભેસ ને વારવાર બચાવવા છતાં જો એ ભાગી ના શકે તો તમને નવાઇ લાગશે ભેસો ના ટોળા નો બોસ જાતેજ પેલી ઘાયલ ભેસ ને શીંગ મારી મારી ને પાડી દેશે.અને બધા ભાગી જશે.ખોટો સમય અને એનર્જી નો વ્યય કરવો.

*બીજો એક ઉપાય સર્વાઇવલ થવાનો જો તમે મજબુત ના બની શકો તો ખુબજ વસ્તી વધારો.મારી મારી ને કેટલા મારશે?આફ્રિકા માં ભેસો ની વસ્તી પ્રમાણ માં ઓછી ગણાય કેમ કે સિંહોની વચ્ચે એ લોકો સર્વાઈવ થઇ જાય છે,પણ વાઈલ્ડ બીસ્ટ પ્રમાણ માં નબળા પડે.ના તો એલોકો સામો હુમલો કરે.ના તો ટોળા માંના કોઈને બચાવે ઉભા ઉભા જોયા કરે.તો એમની વસ્તી એટલી બધી છે કે ખતમ જ ના થાય.જે જે પ્રાણીઓ કમજોર છે એમની વસ્તી ખુબ હોય,પ્રજનન ક્ષમતા ખુબ જ હોય.ઘણા દર છ મહીને બચ્ચા પેદા કરતા હોય છે.

*તમારી પાછળ કોઈને મુકતા જવાની ચિંતા કુદરત ખુબજ કરતી હોય છે માટે પુરુષ ના એક ટીપા વીર્ય માં અબજો સ્પર્મ મુકે છે,ચાન્સ લેવા માગતી નથી.વનસ્પતિના બીજ એકજ જગ્યાએ નહિ પણ જુદી જુદી જગ્યાએ ફેલાય એવી વ્યવસ્થા કુદરતે ખૂબી થી કરેલી હોય છે.પ્રાણીઓમાં પણ એવુજ છે.કુદરત ચાન્સ લેવા નથી માગતી માટે એક નર જુદી જુદી માદા ઓમાં પોતાના બીજ રોપતો હોય છે.માદા પણ મજબુત નર ના જ બીજ ઉછેરવા માગતી હોય છે.માટે એક માદા માટે બે નર યુદ્ધ કરે છે,માદા રાહ જુવે છે,જે જીતે એ ભોગવે ને બીજ રોપે.માણસ જાત પણ કુદરત ની નજર માં પ્રાણી જ છે.એટલે માણસ જાત ના નર માં જુદી જુદી સ્ત્રીઓને ભોગવવાની ઈચ્છા સામાન્ય હોય છે,પણ કાયદા,સંસ્કાર,નિયમો,ધર્મ ને બીજી અનેક બાબતો ને લઇ ને આવું કરતા નથી.બહુપત્ની ની પ્રથા હતીજ.

*તમામ પ્રાણીઓમાં માણસ જાત કમજોર ગણાય.બધા પ્રાણીઓના બચ્ચા બે કલાક માં ઉભાથાઈ જાય.દોડવા માડે.એટલે માણસ જાતે ફેમીલી બનાવ્યું.વધારામાં કુદરતે બ્રેન આપ્યું.પણ છતાં સામાન્ય નિયમો તો લાગેજ.પહેલા પણ જે મજબુત નર હોય એનાજ ભાગ માં નારી આવતી હશે.પણ બીજા પ્રાણીઓ સાથે સર્વાઈવ થવા ઝગડવાનું નિવારી,લગ્ન વ્યવસ્થા ની શોધ કરી સહેલાય થી બચ્ચા પેદા કરી શકાય આવું કોઈ કમજોર પણ બુદ્ધિશાળી માનવ સમુહે શોધ્યું હશે.મજબુત ના મનમાં લગ્ન વ્યવસ્થાનો વિચાર આવેજ ક્યાંથી?એને તો એની શક્તિ પર વિશ્વાસ હોય.

*મહાભારત ના યુદ્ધ માં લગભગ સર્વ નાશ થઇ ચુક્યો હતો.પ્રજા યુધ્ધો થી ગભરાઈ ગઈ હતી.યજ્ઞોમાં પશુઓના બલિદાન અને કર્મકાંડો વધી ગયા હતા.એમાં આવ્યા ભગવાન બુદ્ધ અહિંસા નો સંદેશ લઇ.લોકો કંટાળી ગયા હતા.પ્રજાને કશું નવું,નવો સિદ્ધાંત જોઈતો હતો.દસ હજાર શિષ્યોનો કાફલો લઇ બુદ્ધ ફરતા હતા.હિંદુ ધર્મ ઉપર ખતરો છવાઈ ગયો હતો.એ વખતના હિંદુ મહાપુરુષોએ રટવાનું ચાલુ કર્યું અમે પણ અહિંસક છીએ.ગાયો,ભેશો,બકરા,ઘોડા વધેરવાનું બધ થયું,એની જગ્યાએ નાળીએર ને કોળા વધેરવાનું ચાલુ થયું.અહિંસા નો નારો એટલો બધો ગુંજી ઉઠ્યો કે પ્રજા સાવ જ ડરપોક અને કાયર બની ચુકી.અહિંસા પરમ ધર્મ.દુશ્મનોના ધાડેધાડા આવવા માંડ્યા.પણ શું થાય હવે તો અહિંસા પરમોધર્મ.તો કુદરત શું કરશે?ચાલો ભાઈ વસ્તી વધારો.મારી મારી ને કેટલાને મારશે?સર્વાઇવલ એટ ધ ફીટેસ્ટ.આ ત્રાસવાદીઓને કુદરત ના નિયમ ની ખબર નથી,એક અબજ છીએ.અમારો નાશ કદી ના થાય.ચીન માં પણ આજ હતું.ત્યાં પણ બુદ્ધ ધર્મ અસર કરી ગયો.માંન્ગોલ્યા થી રોજ ધાડે ધાડા આવે અને ચીન અંગ્રેજોનું વેચેલું અફીણ ખાઈ ને નમાલું થઇ ગયું હતું.હવે એની વસ્તીનો દર ચોક્કસ ઘટવાનો,કારણ હવે મજબુત થઇ ચુક્યું છે.બાકી ચીનમાં તો ગરમી નથી પડતી,એતો તિબેટ ની પેલે પાર આવ્યું છે.જયારે આફ્રિકાના ગરમ પ્રદેશોમાં પણ ભારત જેટલી વસ્તી નથી.કારણ ઘણા એવું માનતા હોય છેકે ભારત ગરમ દેશ છે માટે વસ્તી વધારે છે.

*ભારત ની વસ્તી ઘટાડવા માટે પ્રજા ની માનસિકતામાંથી નમાલાપણું,કાયરતા,કમજોરી કાઢી,એને બહાદુરી અને મજબૂતાઈ ના પાઠ ભણાવો,એના માટે કઈ રોજ લડવા જવાનું નથી,ફક્ત માનસિકતા બદલવાની છે.કુદરત એનું કામ કરશે.બાકી કોઈ નહિ.

*મારા વિચારો કદાચ કોઈની સમજ માં ના પણ આવે,માનવામાં ના પણ આવે,યોગ્ય ના પણ લાગે,પણ સર્વાઇવલ,ઇકોલોજી,ઈવોલ્યુશન,સાયકોલોજી ના નિયમો વિષે આંગળી ચીન્ધવું લગભગ અશક્ય છે.ભારતમાં પણ ક્ષત્રિયો ની વસ્તી ખુબજ ઓછી છે,ભલે સમાજે કે ધર્મોએ વધારે લગ્નો કરવાની છૂટ આપી હતી.સિંહો ના ટોળા ના હોય વાઈલ્ડ બીસ્ટ ના જ હોય.