Pages

Tuesday, October 6, 2009

મોરારી બાપુના ૬૪ માં જન્મ દિવસ ઉપર

પ્રથમ તો બાપુ ને જન્મદિવસ પર હાર્દિક વધાઈ.સુગર બહુ ખવાય જાય તો ડાયાબીટીસ થઇ જાય.એટલે થોડી કડવી દવા.બાપુ એક નાનું બાળક જન્મ્યા પછી બધું શીખે છે,માં બાપ પાસેથી,આજુબાજુ નાં માહોલ,ઘરના વાતાવરણ,સંસ્કારો,સમાજ ના રીવાજો બધાની એની ઉપર અસર પડે છે.એની હાર્ડ ડિસ્ક કોરી હોય છે.એ જુએ છે,ચાખે છે,સાંભળે છે,નકલ કરે છે અને એરીતે એનું ઘડતર થાય છે.દેશ ના રાજા,મહાન નેતાઓ,મોટા સ્થાપિત ધર્મગુરુ ઓ ના અચાર વિચાર,વાણી,વર્તન,ઉપદેશો થી દેશ નું,પ્રજાનું,સમાજનું ઘડતર થાય છે.યથા રાજા તથા પ્રજા,પ્રજા એમના પગલે ચાલવા આતુર હોય છે.એક નાનો માણસ ભૂલ કરે છે,ત્યારે એના ખરાબ પરિણામો એના ફેમીલી,અને ઘરના સભ્યોએ ભોગવવા પડે છે.જયારે મોટા માણસો ભૂલ કરે છે ત્યારે એના પરિણામો આખા સમાજ,આખા દેશ ને ભોગવવા પડે છે.ભારતના ભાગલા પડ્યા,નેહરુની સત્તા લાલસા,વલ્લભભાઈ નું સ્વમાન,ઝીણા નો અહં,ગાંધીજી ની ઢીલાસ અંગેર્જો ની લુચ્ચાઈ,ભોગવ્યું કોણે?પ્રજાએ.૧૦ લાખ માણસો માર્યા ગયા.કેટલાય કુટુંબો રઝળી ગયા.મોટા માણસોએ એક વાક્ય પણ બોલતા વિચારવું પડે .આખો સમાજ તમારું અનુકરણ જયારે તમને પૂજ્ય માની કરવા ઉભો હોય ત્યારે.બાપુ તમને નથી લાગતું કે હવે શ્રી રામજીની કથાઓ નવા પરિક્ષેપ્ માં કહેવાવી જોઈએ?વાલી નો વધ,તપ કરતા શુદ્ર નો વધ,અગ્નિપરિક્ષા,સીતાજી નું વનમાં મોકલવું.કદાચ એમને યોગ્ય લાગ્યું હશે.ધોબી ભાઈ ને ઠપકો આપી સજા કરી,આખા સમાજ ઉપર સારો દાખલો બેસાડી શકાયો હોત.અગ્નિપરિક્ષા નાં લઇ ને ભવિષ્ય ની ભારતવર્ષ ની તમામ સ્ત્રીઓને હઝારો વરસો થી લેવાતી અગ્નિપરિક્ષાઓ થી બચાવી શકાયી હોત.પણ એ હવે થઇ ચુક્યું છે તો ફરી એ ભૂલો ના થાય એવી રીતે કથાઓ ના કરી શકાય? માનનીય લેખિકા શ્રી વર્ષા અડલજા એક લેખ માં પુછાતા હતા કે ક્યાં સુધી ભારત માં સ્ત્રીઓ ની અગ્નિપરિક્ષા લેવાતી રહેશે?જ્યાં સુધી મહામાનવ રામજી ની કથાઓ નવા રૂપે નાં કહેવાતી થાય ત્યાં સુધી.પોતાની પ્રિય પત્ની ને પેટમાં ટ્વીન્સ હોય અને વાલ્મીકીજી ને કદાચ ગાયનેક નું જ્ઞાન ના પણ હોય એમના ભરોસે ત્યજી દેવા મને ઈતિહાસ નો સૌથી ખરાબ દાખલો લાગે છે.છેવટે બધા દુખી થયા.સીતાજી પ્રત્યે રામજી નો અપાર પ્રેમ હતો,પણ સીતાજી ને પણ સ્વમાન હતું.ધરતીમાં સમાય જવું,સરયું માં રામજી ની જળ સમાધિ આ બધા રૂપાળા શબ્દો છે.બધાએ જીવ ખોયા.પ્રેમ નું મહાકાવ્ય અને શોક નું મહાકાવ્ય,નવી રીતે મૂલવવાનો સમય હવે હોવો જોઈએ.

2 comments:

  1. uncle u really did a good blog. I really impressed with it thankx

    ReplyDelete
  2. morari bapu sita tyag ni katha j nathi karta e tamne khabar nathi lagti

    ReplyDelete