Pages

Thursday, October 22, 2009

ચુંટણી માં ભાજપ ના સુપડા સાફ

ભાજપા ના સુપડા સાફ થાય એમાં કોઈ નવાઈ નથી.કોમી તોફાનો નો ડર બતાવ્યા કરીને આજ સુધી વોટ લીધે રાખ્યા છે.હિન્દુત્વ ના નામે રામ ના રથ કાઢી ચરી ખાધું છે.પેલી ઇંટો ક્યાં ગઈ?આજ સુધી તમામ કાબેલ નેતાઓને એક પછી એક ઘર ભેગાજ કર્યા છે.એટલે પ્રજા હવે સમજી ગઈ છે.શિવસેના નો બીમાર વાઘ ઘરમાં બેઠો બેઠો ગર્જનાઓ કર્યા કરે છે.પણ હવે એનુંજ ઘર ફૂટ્યું છે.લોકસભાની ચુંટણી માં મોદી નો ચાઈલ્ડઈશ બકવાસ કામ લાગ્યો નથી ઉલટાનું નુકશાન થયું છે.ગુજરાત માં કોમી તોફાનો વધારે થાય છે.એની બીક માં મોદીસાહેબ વોટ લઇ ગયા છે,અને ગુજરાત માં કોંગ્રેસ પાસે કોઈ મજબુત નેતા પણ નથી.કંધાર અને કારગીલ ના બણગા ની સાચી વાત પ્રજાની સમજ માં આવી ગઈ છે.તમારા ઘર માં કોઈ ઘુસી જાય તેને મહાપરાણે કાઢવામાં કોઈ બહાદુરી નથી કરી.મનમોહસિંહ જેવા કાબેલ અર્થશાસ્ત્રી ને લીધે ભારત માં અમેરિકા જેવી મંદી નથી આવી.નામ ગણાવવાની જરૂર નથી જેઓએ એમની આખી જીંદગી ભાજપા માટે ઘસી નાખી હોય તેવા કાબેલ નેતાઓને ઘડી ના છઠા ભાગ માં કાઢી મુકતા ભાજપને વાર લાગતી નથી.કયો નેતા એના માટે પ્રમાણિકતા થી કામ કરશે?સવારે છાપા માં વાચવા મળે કે મને તો કાઢી મુક્યો છે.વેરી સિમ્પલ ભાજપ ના સુપડા સાફ થાય જ.

No comments:

Post a Comment