Pages

Sunday, October 11, 2009

ભારતમાં વૈજ્ઞાનિકો ની કદર થતી નથી.

આપણે ભારતીયો જ વૈજ્ઞાનિકો ની કદર કરતા નથી,તો બીજા શું કરવાના હતા?તમે સાચુજ કહ્યું કે આપણે નેતાઓ અને અભીનેતા ઓ નીજ કદર કરીએ છીએ.છાપાઓ પણ અભિનેતાઓ ની ખુશામત માં તૂટી પડે છે.આતો વેન્કી પરદેશ માં હતા બાકી અહી રહ્યા હોત કોઈ ઓળખતું પણ ના હોત.અને આવા કેટલાય વૈજ્ઞાનિકો છે જેઓની કોઈએ કદર કરી નથી.આતો અબ્દુલ કલામ ભાગ્યશાળી છે,કે લોકો જાણે છે.જેઓ ખરા અર્થ માં હીરો છે એમને આપણે હીરો કહેતા નથી .આ બીગ બી સારા માણસ છે,પણ એમની ખુશામત માં બધા તૂટી પડ્યાછે.બધું પ્રેસ અને છાપાવાળા ઓના હાથમાં છે.તમે પત્રકારો જેને હીરો બનાવશો એનેજ લોકો માનશે.તમે પત્રકારો જ ફિલ્મી ટટુ ઓની ખુશામત કાર્ય કરશો,નેતાઓની ખુશામત કાર્ય કરશો તો લોકો આ લોકોને જ હીરો માનશે.પણ વૈજ્ઞાનિકો તો એટલા પૈસા વાળા હોતા નથી,પછી એમની વાત જ કોણ કરે?આપણે અણુ ધડાકા કાર્ય પછી બધા દેશોએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટોમાં આપણ ને મદદ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો.ઘણા તો સંયુક્ત પ્રોજેક્ટો હતા.છતાં આપણાં વૈજ્ઞાનિકોએ જાતે જ શંશોધનો કરી બધા પાર પડેલા કોઈ ની મદદ વગર.આપણાં સરકારી લેબો માં કામ કરતા વૈજ્ઞાનિકો નો પગાર પણ કેટલો ટૂંકો હોય છે?એની કોઈ પ્રેસ વાળાને ખબર છે?અરે એક સામાન્ય પી.એસ.આઈ.આ લોકો થી વધારે કમાતો હોય છે.પહેલા તો નેતાઓ અને અભિનેતાઓને હીરો કહેવાનું બંધ કરો,એ લોકોની ખુશામત થી છાપાઓ ભરવાનું બંધ કરો. બીગ બી ના મનમાં એમના જન્મ દિવસ નિમિત્તે લાબીલાબી કેક કે પેસ્ટ્રી બનાવીને બહુમાન કરવા વાળા છાપાંઓને કોઈ વૈજ્ઞાનિક નો જન્મ દિવસ યાદ છે?અણુ ધડાકા કોઈ એકલા અબ્દુલ કલામ થી થોડો શક્ય બને છે?સેકડો વૈજ્ઞાનિકોનો સહિયારો પ્રયાસ હોય છે.એતો ડીફેન્સ લેબ ના વડા હતા.કે એક મિસાઈલ એમના એકલા થી થોડું સફળ થાય છે?એમનો મોટો ફાળો ગણાય,છતાં બીજા સેકડો અનામી,અજાણ્યા વૈજ્ઞાનિકો એ એમાં મહત્વનું કામ કરેલું હોય છે.પણ આ લોકો તો એક મામલતદાર કે સબ ઇન્સ્પેક્ટર જેટલું પણ કમાતા હોતા નથી.દંભી પત્રકારો નેતાઓ અને અભિનેતાઓ ના જ ગુણ ગાન ગાવામાં પડેલા છે.

1 comment: