Pages

Tuesday, October 13, 2009

સ્ત્રીઓ ને ક્યાં સુધી રડાવશો?

શ્રી કાંતિભટ્ટ નો એક લેખ આવ્યો છે,દિવ્ય ભાસ્કર માં ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આશું ઉપચાર કથાઓ.સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો?આજ તો ચાલાકી છે,પુરુષ પ્રધાન સમાજ ની.સ્ત્રીઓના અન કોન્શિયસ બ્રેન માં નાનપણ થીજ ભરવી દેવાનું,કે અમે તમને ગમેતેટલું હેરાન કરીએ તમારે અમનેજ પ્રેમ કરવાનો.અમે તમને તમારો વાંક ના હોય છતાં ,વનમાં મોકલીએ ભલે તમારા પેટમાં અમારા બાળકો હોય,પાડોશી ના કહેવાથી અમે તમારા પર શંકા કરીએ ને ઘરમાંથી કાઢી મુકીએ,અથવા ગુસ્સો આવે તો બાળી પણ મુકીએ,અમે તમને પૈસા ખૂટે તો જુગારમાં પણ મૂકી દઈએ,છતાં તમારે અમનેજ પ્રેમ કરવાનો કેમ સીતાજી કરતા હતા તો તમારું શું જાય છે?પાછા કાન્તીકાકા જેવા જાણે હજારો સ્ત્રીઓને પૂછીને આવ્યા હોય તેમ લખે છે કે સ્ત્રીઓને સીતાજી ની જેમ સફર થવું છે, કે પિયર વાસ કે વન વાસ ભોગવવો છે.બાવાઓ ને કથાકારોએ બ્રેન વોશ કરવાનું ભારતમાં ચાલુ જ રાખેલું છે.હવે તેમાં કાન્તીકાકા પણ ઉમેરાયા. સ્ત્રીઓના સરળ હૃદય નો ક્યાં સુધી લાભ લેશો?સીતાજીએ આપણા રામજી ને માફ નથી કર્યાં.એટલે તો લવકુશ સાથે યુદ્ધ કર્યાં પછી ઓળખાણ પડ્યા પછી સીતાજી પાછા અયોધ્યા નથી ગયા.અને એમ કોઈના કહેવાથી ધરતી ફાટી પણ નથી જતી.હજારો,સેકડો વરસ ધરતી માં એનર્જી ભેગી થાય પછી ધરતીકંપ થાય,અને એમાં ભાગ્યેજ ફાટે.સીતાજી ધરતીમાં સમાય ગયા એવી સ્ત્રીઓને ભરમાંવવાની વાતો બધ કરો,એવા રૂપાળા શબ્દો વાપરવાનું બધ કરો, અને એ પોતે કરેલી ભૂલ ના પસ્તાવામાં રામજી એ સરયુ માં જળ સમાધિ લીધી.આ બધા રૂપાળા શબ્દો છે,આત્મહત્યા થી વિશેષ કશું નથી.કથાકારો રડીને ઈમોશનલ બ્લેકમેલ કરે છે.અમારા માણસા માં હું નાનો હતો ત્યારે ડોંગરેજી ની કથા હતી,કથા કરતા કરતા ડોંગરેજી રડવા લાગ્યા,મને થયું આ માણસ આવા ઘેલા કેમ કાઢતો હશે?કૃષ્ણ ને થયે ૫૦૦૦ વરસ થયા.હમણા કોઈ બગીચામાં ઉભો ઉભો કોઈ માણસ એના માની લીધેલા મિત્ર જોડે વાતો કરે,ઘેલા કાઢે તો આપણે એને સ્કીજોફ્રેનીક કહીશું.હમણા મેં ઓપ્રાહ ના શો માં આવી એક નાની બાળકી ને જોઈ એ એના માની લીધેલા રેટ,કેટ અને બીજી એક ફ્રેન્ડ ની સાથે આખો દિવસ રમતી હોય છે અને વાતો કરતી હોય છે.વાસ્તવમાં એની જોડે કોઈ જ હોતું નથી.કાલ્પનિક મિત્રો હોય છે.હવે થાય છે કે આ બધું ઈમોશનલ બ્લેકમેલ જ છે.જોયું બાપુ જેવા મહાત્મા રડી પડ્યા કેટલા સરળ હૃદય ના છે. એમાંય સ્ત્રીઓને ભોળવવી સહેલું છે.એટલેજ સ્ત્રીઓ કથામાં વધારે હોય છે,મૂર્ખી છે.વધારે પડતી સરળતા મુર્ખામી છે.સૌરાષ્ટ્ર ની ધરતી કઠણ છે.સર્વાઇવલ્ થવું અઘરું છે અને ભવિષ્ય અજ્ઞાત છે,એનો ડર ફોબિયા દરેકના મનમાં હોય એનો આ બાવાઓ ભરપુર ફાયદો ઉઠાવે,એટલે સૌરષ્ટ્ર ના લોકો વધારે ધાર્મિક છે.અનેએનો લાભ બધા લે છે.ચમત્કાર થી વગર મહેનતે કશું મળી જતું હોય તો કોને ના ગમે?એટલે કુમાર,નવનીત ઓછાજ વેચાય,એમાં કશું નવું નથી.સ્ત્રીઓ મૂર્ખી એટલેજ તો હિમાલય થી આવેલા બાપુઓ સુપર બાપુ બની જાય.રોગો માટે કંઠી,બદલી માટે કંઠી,સંતાનો માટે કંઠી,આ બધી મુર્ખામી છે.એમાં ગર્વ લેવા જેવું શું છે.ગોંડલ કોલેજ ની કન્યા ચાલુ લેકચરે બાપુએ આપેલી માળા સંતાડી રામ રામ કરે છે,કાન્તીકાકા જેવા લેખક કહે છે તમે એના પર કટાક્ષ ના કરી શકો બોલો આ સવાયા બાપુ ને શું કહેવું?એ મૂર્ખી છે,એનું બ્રેન કોઈ બાપુએ વોશ કરી નાખ્યું છે કે ભજન કરતા ભણતર નીચું છે.ભજન ની જીત થાય છે ભણતર ઉપર.જે બાપુઓ વધારે લોકોને ગમે છે એ લોકો વધારે ચાલક છે,એ લોકો માસ સાયકોલોજી જાણે છે,પોતે રડે છે,બીજાને રડાવે છે અને ભોળા લોકોના દિલ જીતી લે છે.ધાર્મિક કથાઓ આંસુ ઉપચાર કે બ્રેન વોશિંગ?

No comments:

Post a Comment