Pages

Sunday, October 11, 2009

નક્સલવાદીઓ એ એક પી.એસ.આઈ. નું ગળું કાપ્યું.

આપણું લાગણી તંત્ર બુઠું બની ચુક્યું છે.કોઈ મરે,કોઈની આખ માં આંશુ આવતા નથી.નેતાઓની તો વાત જ શું કરવી.આ મહા દંભી લોકો ક્યારેય કોઈ ની પાછળ રડ્યા હશે ખરા?દેશના પૂર્વ વિભાગ માં કોઈ મરે તો પશ્ચિમ વિભાગ માં કોઈ ને અસર તથી નથી.આવું બધેજ છે.જે મર્યો હોય એના ઘર વાળા રડે બીજાને શું?સરકાર ધારે તો બધું કરી શકે.પણ આપણે તો અહિંસા ને વરેલા,અને એનો દુરુપયોગ કરીને આવા સંગઠનો જોર કરી નિર્દોષ લોકોને મારતા હોય પણ એમાં નેતાઓનું શું જાય છે?હા એમનું કોઈ સગું કે દીકરા,દીકરી હોય તો વાત જુદી છે.ચિદ્મ્બરન્ ના છોકરાને ગોળી મારી હોય કે ગળું કાપ્યું હોય તો હાલ ખબર પડે.કે શું પગલા લેવા,કે લશ્કરી પગલા લેવા કે નહિ.એક પોલીસ વાળો ક્યાં આપણો સંબંધી હતો કે આંશુ આવે?કાયર પ્રજા માંથી ચૂંટેલા કાયર નેતાઓ શું કરવાના હતા?પેલા ચંદન્ચોરે અને ખાલીસ્તાનીઓએ વરસો લગી નિર્દોષ લોકોને મારી બહાદુરી બતાવી.સરકારે જયારે ખરા મન થી ધાર્યું ત્યારે ખાતમો બોલાવ્યો.કરવું હોય ત બધું કરી શકાય.પ્રજાએ જાતેજ સંગઠિત થવું જોઈએ.જાતેજ હુમલાના જવાબ આપવા જોઈએ.સેલ્ફ ડીફેન્સ માટે કોઈને મારવો ગુનો નથી.સરકાર જયારે રક્ષણ ના કરી શકાતી હોય તો જાતે પોતાનું રક્ષણ કરવું એ થોડો ગુનો કહેવાય?અને આવા સ્વ રક્ષણ કરવાવાળાને સરકાર ગુનેગાર ગણી પકડે તો હજારો લોકોએ જાતે જેલમાં પુરાવા જવું જોઈએ.પણ જ્યાં પ્રજા ધર્મો ની અસર માં કાયર બની ચુકી હોય ત્યાં મરવામાટે તૈયાર રહો.

1 comment:

  1. aapna contry nu bandharan avu chhe k koi bhi niryay levo hoy to......... so long prossecc for that. if you they being practical.. and put their self on that self .. they wud know that its not easy to die for country....


    but its just meaningless..SARKAR is BLIND

    ReplyDelete